અમદાવાદના નરોડા ખાતે આઝાદી પહેલાના ગુજરાતના સૌથી મોટા અને સૌથી જુના ઔદ્યોગિક જૂથ અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી સમગ્ર દેશમાં પહેલી ગિયર અને ક્લચ વાળી પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે.. આ ઉત્પાદનના વેચાણ માટે ભાજપના યુવા નેતાશ્રી કિરપાલસિંહ ચાવડા અને ભાઈશ્રી કિરીટસિંહ ચાવડાના નવીન e-bike ના શો- રૂમના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો
આ શુભ પ્રસંગે અમદાવાદ( પૂર્વ ) ના લોકપ્રિય સાંસદશ્રી હસમુખભાઈ એસ. પટેલ, બાપુનગરના ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહ, આ e- bike ના નિર્માતા અરવિંદ ગૃપના માલિક શ્રી મોહલ લાલભાઈ , શ્રી બલવંતસિંહ ડાભી, અ.મ્યુ.કો. ના ચેરમેનશ્રી મહાદેવભાઈ દેસાઈ સહીત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતી
