May 10, 2026
અપરાધદેશ

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મના સમાચાર પ્રકાશમાં આવ્‍યા બાદ ગઈકાલ રાતથી તણાવ છે. આરોપ એ છે કે ૭૬ વર્ષીય ઉસ્‍માન લાંબા સમયથી છોકરી સાથે દુષ્‍કર્મ કરી રહ્યો હતો. જેને લઈને બુધવારે રાત્રે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. મધ્‍યરાત્રિએ તોડફોડ અને પથ્‍થરમારા બાદ ગુરુવારે પણ તણાવની સ્‍થિતિ છે.

મોટાભાગની શાળાઓ, કોલેજો અને બજારો બંધ છે. પોલીસનો ભારે બંદોબસ્‍ત દેખાઈ રહ્યો છે. હિન્‍દુ સંગઠનો અને વકીલોએ પણ પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કરવા માટે સરઘસ કાઢયું હતું.

બુધવારે મોડી રાત્રે, ઉસ્‍માન નામના વ્‍યક્‍તિ પર કિશોરી સાથે દુષ્‍કર્મ કરવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. આ મામલાની માહિતી મળતા જ સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટેશન પહોંચી ગયા અને સૂત્રોચ્‍ચાર શરૂ કરી દીધા. ગુસ્‍સે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી અને લોકો પર હુમલો કર્યો. મલ્લીતાલ વિસ્‍તારમાં કેટલાક અજાણ્‍યા લોકોએ મસ્‍જિદ પર પથ્‍થરમારો કર્યો. મોટી સંખ્‍યામાં પોલીસ દળ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબુમાં લીધી હતી.

વિરોધ કરનારાઓએ ગુરુવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યું હતું. સવારથી જ પોલીસ સ્‍ટેશન અને આસપાસના વિસ્‍તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

સાવચેતીના ભાગરૂપે DSB કેમ્‍પસ સહિત ઘણી શાળાઓને પણ બંધ રાખવામાં આવી છે. પોલીસે તોડફોડ અને પથ્‍થરમારો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો.

Related posts

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં બની ચોરી અને છેતરપીંડીની ઘટના.

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા

Ahmedabad Samay

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો