અમદાવાદ છાવણી ખાતે તા. ૨૫/૦૭/૨૦૨૫ના રોજ પૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ, મોરબી તથા અમરેલી જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને રોજગાર મળી રહે તે માટે નવી દિલ્હી ડાયરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ દ્વારા રોજગાર મેળાનું આયોજન અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે કરવામાં આવશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા પૂર્વ સૈનિકો પોતાનું પૂર્વ સૈનિક તરીકેનું ઓળખપત્ર, પીપીઓ, ડિસ્ચાર્જબુક, બાયોડાટા તથા ફોટોગ્રાફ સાથે તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે હાજર રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,
