અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો. NSUI ના કાર્યકરોએ સુત્રોચાર કરી ખ્યાતિ હોસ્પિટલ બહાર બેનર લગાવ્યા હતા. જો કે પોલીસે દેખાવો કરતા એનએસયુઆઈના કાર્યકરોને હોસ્પિટલથી દૂર કર્યા હતા. મોતના સોદાગર અને મૃતકોના ન્યાય માટે પોસ્ટર લગાવ્યા હતા
બીજીતરફ NSUIના કાર્યકરોએ. દેખાવોને પગલે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે હાઈકોર્ટે ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા. અત્યાર સુધી ખ્યાતિ કાંડમાં 6 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે.
