આજ ના યુવાનોને દેશ પ્રતેય ઇગોસ્ટિક હોવું જોઈએ કારણકે આજની યુવા પેઢી દેશમાં કઇ થાય કોઇ ઘટના બને કે પોતાના જાતિ વિષે કે ભાષા વિશે કોઇ કઇ બોલે તો આંદોલન પર આવી જાય છે,
એક બીજાને મારી નાખવાની કતાર સુધી પહોંચી જાય છે, હાલની પરિસ્થિતિમાં આપણું દેશ વિશ્વ વિખ્યાત અને વિશ્વ ગુરુ બનવા જઇ રહ્યું છે આખા વિશ્વમાં આપના દેશનો ડંકો વાગી રહ્યો છે તેવામાં તાજેતરમાં અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનલ ટ્રેમ્પએ તેમના દેશની મોટી મોટી કંપનીમાં ભારતીયો ને કામ પર રાખવાની ના પાડી દીધી છે, કેનેડામાં પણ આપણા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીયો પર વારંવાર જીવલેણ હુમલા પણ થાય છે
તો આવા સમયે કેમ કોઈ ભારતીયોને તે દેશો સામે દેખાવો કે આંદોલન કરવાનું કેમ સુજતું નથી ? કેમ તે દેશમાં જલીલ થઈને રહે છે ? કેમ આટલા અત્યાચાર સહન કરીને રહે છે ?
જો વિદેશમાં રહેતા તમામ ભારતીયો તેમના અપમાન નો બદલો કે તેના સામે બળવો કરે તો તે દેશને રેલો આવતા વાર નહિ લાગે, જો અમેરિકા માંથી તમામ ભારતીયો અમેરિકા દેશ છોડી દેશે તો અમેરિકાના ઇકોનોમિકમાં, સરકારમાં અને દેશમા હાહાકાર મચી જશે,
અમેરિકા મહા સત્તા પરથી આપના ભારત દેશના ચરણે આવી જશે અને વિઝા ફ્રી કરી પગે પડી લોકોને પરત આવવા માટે અપીલ કરશે, વિદેશમાં અને ભારતમાં રહેતા તમામ નાગરિકોએ વિશ્વ વ્યાપી એકવાર વિદેશ નિકાલ કરવાનો ઉગ્ર આંદોલન કરવાની જરૂર છે આપણા ભારતીયો કોઈ જાતિ ધર્મ કે અન્ય આંદોલન છોડીને દેશમાટે અન્ય દેશ સામે એક આવો આંદોલન કરવાની જરૂર છે આપણા ભારતીયોનો અસલી ઈગો ભારતના બહાર બતાવાની જરૂર છે દેહની અંદર નહિ.
(વિશાલ પાટનકર)
