રક્ષાબંધનનો પાવન પર્વ આગામી 9 ઑગસ્ટ, 2015ને શનિવારના રોજ ઉજવાશે. ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને લાગણીના પ્રતિકરૂપ આ તહેવારને અનુલક્ષીને બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે.
તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઑગસ્ટના રોજ સવારના 6.00 વાગ્યાથી રાત્રિના 10.45 વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
