June 22, 2026
ગુજરાત

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાન સહિત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સમયાંતરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી માસ દરમિયાન “ જી-20 સમિટ, યુનિવર્સિટી કનેક્ટ : એન્ગેજીંગ યંગ માઈન્ડના” ઉપક્રમે જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહીને વિવિધ લલિતકલાઓનું પણ જ્ઞાન મેળવવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સંલગ્ન કૉલેજના તમામ વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે જણાવ્યું હતું, તેમજ સફળ આયોજન માટે જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને શુભેચ્છા પાઠવી હતી.

જીટીયુ સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સહિત પ્રતિ સંસ્થા દિઠ 2 વિદ્યાથીઓ આ તાલિમ શિબિરમાં ભાગ લઈ શકશે. આગામી 10 માર્ચ સુધી sports@gtu.edu.in પર ઈ-મેઈલ દ્વારા વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહશે. ગુજરાતના નામાંકિત તજજ્ઞો દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં લોકનૃત્ય અને નાટ્યની 7 દિવસ અને વ્યક્તિત્વ વિકાસ માટે 4 દિવસની તાલીમ શિબિર યોજાશે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તાલીમ અને પરિવહન સહિત અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા જીટીયુ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે.

Related posts

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

ગાંધીનગર પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રા નહિ નીકળે

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો