March 26, 2026
ગુજરાતધર્મ

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

નવલા નોરતાનો આરંભ થયો છે.  શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્ત માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. માઈભક્તો મા અંબાના દર્શન બાદ પોતાના ઘરે ઘટસ્થાપન કરતા હોય છે.  ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે સ્થાપના કરવા માટે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત લીધી.. વહેલી સવારથી જ મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે.

મહત્વનું છે કે નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી મંદિરમાં સવારે આરતી ૭:૩૦થી ૮, સવારે દર્શન : ૮ થી ૧૧ઃ૩૦, રાજભોગ : બપોરે ૧૨, બપોરે દર્શન : ૧૨:૩૦થી ૪:૧૫, સાંજે આરતી : ૬:૩૦થી ૭, સાંજે દર્શન : ૭થી ૯. કરી શકાશે.

Related posts

જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો