March 5, 2026
ગુજરાત

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ માટે તોડી પાડવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નોટિસ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે “જાહેર હિત”ના પ્રોજેક્ટમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ કિસ્સામાં વકફ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.

વધુમાં, કોર્ટે જણાવ્યું કે AMC કમિશનરે ગુજરાત પ્રાથમિક મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) કાયદા હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને જાહેર સુવિધા વધારવાનો છે. આ ચુકાદાને પગલે હવે મસ્જિદનો આ ભાગ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે.

Related posts

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો