June 23, 2026
ગુજરાત

CNGના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાને પગલે આખરે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રીક્ષાના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો

રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે મધ્યમવર્ગીય પરિવારો અને દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. સીએનજી (CNG) ગેસના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાને પગલે આખરે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રીક્ષાના ભાડામાં રૃપિયા ૫નો વધારો કરવા માટેની રજૂઆત પર મંજૂરની મહોર મરાઈ છે. આ નિર્ણયને કારણે સ્થાનિક મુસાફરો પર આર્થિક ભારણ વધશે તે નક્કી છે.

નવા સુધારેલા દર મુજબ, હવે રીક્ષાનું લઘુતમ (મિનિમમ) ભાડું રૃપિયા ૨૦થી વધારીને રૃપિયા ૨૫ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે રીક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ સીધા ૨૫ રૃપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, મિનિમમ ભાડા પછીના પ્રત્યેક કિલોમીટર દીઠ દરમાં પણ વધારો લાગુ કરાયો છે. છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવ આસમાને પહોંચતા રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભાડા

વધારા માટે સતત રજૂઆતો અને આંદોલનની ચીમકી આપવામાં આવી રહી હતી. રીક્ષા ચાલકોનું કહેવું હતું કે, ગેસ મોંઘો થવા છતાં ભાડું જૂનું હોવાથી તેમનો રોજી-રોટીનો ખર્ચ નીકળવો મુશ્કેલ બન્યો હતો. વાહન વ્યવહાર વિભાગે રીક્ષા ચાલકોની આ માંગણીને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે.

બીજી તરફ, આ નિર્ણયથી સામાન્ય જનતા, ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના બજેટ ખોરવાઈ જશે. સ્થાનિક મુસાફરોના મતે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર ઓછી હતી ત્યાં હવે રોજિદી મુસાફરીના સાધન સમાન રીક્ષાનું ભાડું વધતાં મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં આ નવો ભાવ વધારો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. વાહનવ્યવહાર કમિશનરે કહ્યું કે, ભાડાં વધારાને મંજૂરી આપી દરખાસ્ત સરકારમાં મોકલી છે. સરકારની મંજૂરી બાદ સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ કરાયા બાદ તેનો અમલ કરાશે

Related posts

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો