February 14, 2026
ગુજરાત

લવ જેહાદ માટે કડક કાનૂન લાગુ કરવા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તરફથી અમદાવાદ કલેક્ટર શ્રી દ્વારા સી.એમ. વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાતમાં એક પછી એક ધર્મ પરિવર્તન કરાવી લવ જેહાદ ચલાવી રહયા છે.થોડા સમય પહેલા વડોદરામાં બે લવ જેહાદની ઘટના બની છે. જેના કારણે રાજકરણમાં પણ ગરમાવો આવ્યો છે, સી. આર. પાટીલ એ પણ લવ જેહાદ માટે કડકમાં કડક કાનૂન બનાવવા માટે સી.એમ.રૂપાણી ને અપીલ કરી છે, જ્યારે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી અરવિંદ ગુપ્તા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા, જિલ્લા  સંગઠન મંત્રી શ્રી રાજેશસિંહ તોમર  અને જિલ્લા મહામંત્રી વિશાલ પાટણકર દ્વારા અમદાવાદ કલેકટર શ્રી દ્વારા સી.એમ.રૂપાણી ને આવેદન પત્ર આપ્યું છે કે યુ.પી.માં જે પ્રકારે લવ જેહાદ માટે કડક કાયદો લાદવામાં આવ્યું છે તેજ પ્રકારે ગુજરાત સરકારે વધતા જતા લવ જેહાદના કિસ્સાને અને ગુજરાતની બહેન,દીકરીઓ ને બચાવવા માટે જેમ બને તેમ આવી ઘટનાઓને રોકવા માટે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુધ્ધ કડકમાં કડક કાયદો બનાવવો જોઇએ.

આવેદનપત્ર આપ્યા બાદ પણ જો કાયદો અમલમાં નહિ આવે તો અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

Related posts

મેઘાણીનગરમાં તંત્રની પોલ ખુલી, થોડા સમય પહેલા સમારકામ કરેલ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 86 ફ્લાઇટ રદ થઈ

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો