August 9, 2026
ગુજરાત

FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો,નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી કરવામાં આવી

 અમદાવાદની શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટીનો કોઈ ડર જ ના હોય તેવું સામે આવ્યું છે. ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણીને શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલી રહ્યા છે.જેના પગલે તંત્ર દ્વારા અમદાવાદની 4 શાળાઓને FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો,નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી કરવામાં આવી

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી પાસે વિદ્યાર્થીઓની ફીમાં વધારા માટે પ્રપોઝલ મૂક્યું હતું. પરંતુ ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલે દરખાસ્તમાં જે ફી વધારવાની માંગ કરી હતી તેમાં ઘટાડો કરીને ફી મંજૂર કરવામાં આવેલ હતી. તેમ છતાં સ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી હતી. જેથી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા વધુ ફી વસુલવામાં આવતી હોવાની ફરિયાદો આવી હતી. જે બાદ FRCએ તપાસ કરતા સ્કૂલે મંજૂર થયેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલી હોવાનું સામે આવતા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને FRCએ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નિયમો પ્રમાણે જો પ્રાથમિક અને માધ્યમિક સાથે એક જ કેમ્પસમાં જો પ્રિ પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી FRC પાસે મંજૂર કરાવવાની હોય છે. પરંતુ જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિ પ્રાયમરી સ્કૂલ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલ સાથે એક જ કેમ્પસમાં ચાલે છે. તેમ છતાં ત્રણેય સ્કૂલે FRC માં ફી મંજૂર કરાવ્યા વિના જ પ્રિ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. જેની ફરિયાદ ફી રેગ્યુલેટરી કમિટીના ધ્યાને આવતા ત્રણેય શાળાને 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Related posts

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

માસ્કની ડિમાન્ડ વધતા, માસ્ક ખરીદવા નકલી નોટનો થયો ઉપયોગ

Ahmedabad Samay

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

Ahmedabad Samay

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી. સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે : ડો. અપરા કોઠિયાલા (ન્યુરોલોજીસ્ટ – જીસીએસ હોસ્પિટલ)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો