August 8, 2026
ગુજરાત

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી ગુજરાત પહોંચ્યો.મહારાષ્ટ્રમાં શિવસેના અને અન્ય સંસ્થાઓ દ્વારા ભાષાવાદ કરવામાં આવી રહ્યું છે , મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી બોલવું પડશે તે ફરજિયાત કરવા પર શિવસેના અને અન્ય રાજકીય અને સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે, થોડા સમય પહેલા મુંબઈમાં એક ગુજરાતી વેપારી અને હિન્દી ભાષી પરપ્રાંતિય પર મરાઠી ભાષા ન બોલવા પર હુમલો કરવામાં આવ્યું હતું અને ગુજરાતીમાં લખાણ લખેલા હોર્ડિંગ્સ પણ ઉતારી દેવામાં આવ્યા હતા,
તે મહારાષ્ટ્રમાં ભાષાવાદની આગનો ધુમાડો ગુજરાતના અમદાવાદમાં આવી પહોંચ્યો છે,
થોડા દિવસ પહેલા નરોડા વિસ્તારમાં એક ફ્લેટમાં પરપ્રાંતીય પરિવાર અનેક સપનાઓ લઇ રહેવા આવ્યું હતું પણ તેમને ફ્લેટમાં એન્ટ્રીજ આપવામાં આવી નહિ અને યુવા, પુરુષો અને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આજ રોજ તે જ પ્રકારનો કિસ્સો મેઘાણીનગરના ઘનશ્યામ ફલેટમાં એક પરપ્રાંતીય પરિવાર રહેવા ગયું તો ત્યાંના રહેવાસીઓ માણસાઈ ભૂલી તેમનો વિરોધ કરવા લાગ્યા ત્યારે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર શ્રી નિકુલસિંહ તોમરે આ બાબને ગંભીરતા સમજી વચ્ચે પડી બન્ને પક્ષને સમજાવ્યા હતા અને મામલો ઠંડો પડ્યો હતો,

https://www.instagram.com/reel/DMxjBuRIsFb/?igsh=MTFrbnpudmNjdjQwcQ==

આ બાબતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને ગંભીરતા પૂર્વક લઇ ધ્યાન આપવું જોઇએ નહીતો મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જતાં વાર નહિ લાગે.

Related posts

રસી લેવા માટે ઓનલાઇન અપોઇમેન્ટ માંથી હવે મુક્તિ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવા માં આવ્યું હતું

Ahmedabad Samay

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

Ahmedabad Samay

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો