March 23, 2026
ગુજરાત

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી ગુજરાત પહોંચ્યો.મહારાષ્ટ્રમાં શિવસેના અને અન્ય સંસ્થાઓ દ્વારા ભાષાવાદ કરવામાં આવી રહ્યું છે , મહારાષ્ટ્રમાં રહેવું હોય તો મરાઠી બોલવું પડશે તે ફરજિયાત કરવા પર શિવસેના અને અન્ય રાજકીય અને સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે, થોડા સમય પહેલા મુંબઈમાં એક ગુજરાતી વેપારી અને હિન્દી ભાષી પરપ્રાંતિય પર મરાઠી ભાષા ન બોલવા પર હુમલો કરવામાં આવ્યું હતું અને ગુજરાતીમાં લખાણ લખેલા હોર્ડિંગ્સ પણ ઉતારી દેવામાં આવ્યા હતા,
તે મહારાષ્ટ્રમાં ભાષાવાદની આગનો ધુમાડો ગુજરાતના અમદાવાદમાં આવી પહોંચ્યો છે,
થોડા દિવસ પહેલા નરોડા વિસ્તારમાં એક ફ્લેટમાં પરપ્રાંતીય પરિવાર અનેક સપનાઓ લઇ રહેવા આવ્યું હતું પણ તેમને ફ્લેટમાં એન્ટ્રીજ આપવામાં આવી નહિ અને યુવા, પુરુષો અને મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આજ રોજ તે જ પ્રકારનો કિસ્સો મેઘાણીનગરના ઘનશ્યામ ફલેટમાં એક પરપ્રાંતીય પરિવાર રહેવા ગયું તો ત્યાંના રહેવાસીઓ માણસાઈ ભૂલી તેમનો વિરોધ કરવા લાગ્યા ત્યારે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર શ્રી નિકુલસિંહ તોમરે આ બાબને ગંભીરતા સમજી વચ્ચે પડી બન્ને પક્ષને સમજાવ્યા હતા અને મામલો ઠંડો પડ્યો હતો,

https://www.instagram.com/reel/DMxjBuRIsFb/?igsh=MTFrbnpudmNjdjQwcQ==

આ બાબતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને ગંભીરતા પૂર્વક લઇ ધ્યાન આપવું જોઇએ નહીતો મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જતાં વાર નહિ લાગે.

Related posts

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો