June 24, 2026
ગુજરાત

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમા ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજ પર અસંખ્ય દુકાનો આવેલી છે.

આ દુકાનોમાં મોટા ભાગની દુકાનો જર્જરિત છે. ત્યારે આજે અહીં જર્જરિત હાલતમા રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

https://www.instagram.com/reel/DPjjkaGiK3w/?igsh=MW9xeWw3MDVlYWRuZQ==

દુકાનોની છત અચાનક ધરાશાયી થતાં ત્યાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી.

.https://www.instagram.com/reel/DPjjkaGiK3w/?igsh=MW9xeWw3MDVlYWRuZQ==

Related posts

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

શિક્ષણ વિભાગમાં પકડાયું મોટું કૌભાંડ, લાખોનું કર્યું કૌભાંડ

Ahmedabad Samay

શુ આપ જાણો છો ભારતીય રેલવે તમને મુસાફરી કરવાની સાથે 10 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો