November 18, 2025
ગુજરાત

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમા ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજ પર અસંખ્ય દુકાનો આવેલી છે.

આ દુકાનોમાં મોટા ભાગની દુકાનો જર્જરિત છે. ત્યારે આજે અહીં જર્જરિત હાલતમા રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

https://www.instagram.com/reel/DPjjkaGiK3w/?igsh=MW9xeWw3MDVlYWRuZQ==

દુકાનોની છત અચાનક ધરાશાયી થતાં ત્યાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી.

.https://www.instagram.com/reel/DPjjkaGiK3w/?igsh=MW9xeWw3MDVlYWRuZQ==

Related posts

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

હાર્દિક પટેલ પાક્કો પોલિટીસીયન નીકળ્યો, આખરે ભાજપમાં જોડાયો

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

બેંક ઓફ બરોડામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ નો અભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો