January 19, 2025
ગુજરાત

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર જાહેર કરાશે. આ સિવાય વિદ્યાર્થીઓ મોબાઇલ પર વોટ્સએપ નંબર થકી પણ પરિણામ જાણી શકશે.

વોટ્સએપ નંબરથી પણ જાણી શકાશે રિઝલ્ટ

ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે બુધવારે સવારે 8 વાગ્યે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની આધિકારીક વેબસાઇટ www.gseb.org પર વિઝિટ કરી પરિણામની માહિતી મેળવી શકશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ પર વોટ્સએપ નંબર 6357300971 થકી પણ પોતાનું રિઝલ્ટ જાણી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામ માટે અલગ-અલગ તારીખો સામે આવી રહી હતી. ત્યારે હવે બોર્ડ દ્વારા અંતિમ નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી અંદાજે 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી અંદાજે 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. ગત વર્ષ 2022માં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ રેકોર્ડબ્રેક 86.91 ટકા રહ્યું હતું. જ્યારે 4.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ વધશે કે ઘટશે તેને લઈને મુંઝવણ છે. અગાઉ ધોરણ 10 અને ધો. 12 સાયન્સના પરિણામ જાહેર થયા હતા. ગત વર્ષ 2022માં અમદાવાદ શહેરનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 79.87 અને ગ્રામ્યનું 81.92% આવ્યું હતું. જ્યારે સુરત જિલ્લાનું 87.52 ટકા, રાજકોટ જિલ્લાનું 88.72% અને વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ રહ્યું હતું.

Related posts

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

Ahmedabad Samay

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો