August 9, 2026
મર્ડર
અપરાધ

અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગમાં  એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગમાં  એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને મારી નાખવામાં આવ્યો હતો.તલવારના ઘા ઝીંકી સુરેશ ભીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ભાવેશ, મેહુલ અને કરણ નામના આરોપીએ હત્યા કરી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ થઈ છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસનું માનવું છે કે આરોપી હજી પણ શહેર છોડીને ગયો હોય તેવી સંભાવના ઘણી ઓછી છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું માનવું છે કે મોબાઇલ ફોનમાંથી આખા બનાવ અંગે મહત્વની કડી સાંપડી શકે છે.

તેની સાથે પોલીસને ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરવા માંડ્યા છે. પોલીસે ચાર રસ્તા પરના અને નજીકના દુકાનોના તથા નજીકના સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કરી દીધું છે. તેથી આગામી દિવસોમાં આ સીસીટીવી ફૂટેજ પોલીસે હત્યાના આ કેસમાં મહત્વની કડી પૂરી પાડી શકે છે.

Related posts

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Ahmedabad Samay

બે દેશી બનાવટના કટ્ટા તથા 10 જીવતા કારતુસ સાથે એક ઇસમની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૩૧ બાંગ્‍લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કાર્યવાહી કરી

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો