અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા માહતાબને તેમની નજીકમાં રહેતી એક યુવતી સાથે કેટલાક વર્ષો અગાઉ પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે બે વર્ષ અગાઉ આ યુવતી તેના માતા-પિતા સાથે ઉત્તર પ્રદેશ ખાતે રહેવા માટે ચાલી ગઇ હતી.
પ્રેમિકાના કડવા બોલના કારણે પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. યુવકે મોતને વ્હાલું કરતા પહેલા છ પાનાની સૂસાઈડ નોટ લખી હતી. જેમાં પ્રેમિકાના કડવા શબ્દો અને નિકાહ માટે પૈસા માંગતી હતી. જો પૈસા નહીં આપે તો તેઓ લગ્ન નહીં કરે એવી ધમકી પણ આપી હતી. મૃતકે પોતાની સૂસાઈડ નોટમાં આરોપીઓના મોબાઈલ નંબરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતકે પોતાની સૂસાઈડ નોટમાં પોતાની આપવીતી વર્ણવી હતી. મૃતક પાસેથી મળેલી સૂસાઈડ નોટમાં પ્રમાણે ‘મેં અપને મોત કો ગલે લગાને જા રહા હું, મુજે મરને કે લીયે મજબૂર કિયા ગયા હૈ. મુજે ફિરદોસને મરને કો કહા થા કી ફાંસી લગાકે કૂત્તેકી મોત મર જા. મુજે તેરી કોઈ જરૂરત નહીં હૈ. હમને ઈસકે લીયે પુરી જિંદગી બર્બાદ કર દીયા હૈ. ફિરદોસ કો મુઝે નહીં સિર્ફ પૈસો સે પ્યાર હૈ. મેને પૈસા ઈસબાર નહીં દિયા તો બોલતી હે કે મર જા ફાંસી લગાકે, મુજે મરને કે લીયે મજબૂર કર દીયા હૈ. મૃતકે સૂસાઈડ નોટમાં વધુ લખ્યું હતું કે, ‘મરને કે બાદ મેરી લાશ કો મેરે ઘર તક પહોંચા દેના. મેરી લાઈફ ફિરદોસને બર્બાદ કર દી હૈ તો ઉસકી લાઈફ ભી બરબાર હોની ચાહીએ. મેરે મોત કા કારણ ફિરદોસ ઔર ઉસકા પુરા પરિવાર હૈ. ઈન સબકો ફાંસી હોગી તો મેરી આત્મા કો શાંતિ મિલેગી.