June 24, 2026
અપરાધગુજરાત

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

નરોડામાં ઊતરાણ બાદ જૂથ અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. બનાવવાની વાત કરીએ તો નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી.

જો કે જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો સામસામે આવી ગયા હતા. મામલો બિચકતા પથ્થરમારો પણ થયો હતો. પ્રાથમિક મળતી વિગતો અનુસાર પથ્થરમારામાં છ થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. જાહેર રોડ પર પથ્થરમારો થતા રસ્તો પણ કલાકો માટે બંધ થઇ ગયો હતો.

જોકે ઘટના અંગે નરોડા પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પથ્થરમારો કરનાર શખ્સોની અટકાયત કરવાની દિશામાં કાર્યવાહી કરતા કેટલાક શખ્સો સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ થયા હતા. મામલો હજી તો શાંત પડ્યો ત્યાં કેટલાક લોકો ફરીથી અદાવત રાખી નરોડાના ફુવારા સર્કલ પાસે ફરી એક વ્યક્તિને મારી ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Related posts

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

અમદાવાદ – અકસ્માતમાં 9ના મોત મામલે સપ્તાહમાં ચાર્જસીટ કરાશે, ફાસ્ટ્રેક કેસ ચલાવાશે, તથ્ય ઉપરાંત તેના પિતા સામે પણ કેસ કરાશે – ગૃહમંત્રી

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

રાજસ્થાની ગીત “રાજ બન્ના સા”એ સોસિયલ મીડિયામાં મચાવી ધૂમ, ૩ જ દિવસમાં બન્યું લોકપ્રિય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો