June 24, 2026
અપરાધગુજરાત

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

નરોડામાં ઊતરાણ બાદ જૂથ અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. બનાવવાની વાત કરીએ તો નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી.

જો કે જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો સામસામે આવી ગયા હતા. મામલો બિચકતા પથ્થરમારો પણ થયો હતો. પ્રાથમિક મળતી વિગતો અનુસાર પથ્થરમારામાં છ થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. જાહેર રોડ પર પથ્થરમારો થતા રસ્તો પણ કલાકો માટે બંધ થઇ ગયો હતો.

જોકે ઘટના અંગે નરોડા પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પથ્થરમારો કરનાર શખ્સોની અટકાયત કરવાની દિશામાં કાર્યવાહી કરતા કેટલાક શખ્સો સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ થયા હતા. મામલો હજી તો શાંત પડ્યો ત્યાં કેટલાક લોકો ફરીથી અદાવત રાખી નરોડાના ફુવારા સર્કલ પાસે ફરી એક વ્યક્તિને મારી ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો