April 29, 2026
ગુજરાત

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો છે. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાશે તેવી અનેક સમસ્યાને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદના ઢાલગરવાડ કાપડ માર્કેટના વેપારીઓ કોર્પોરેશન પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા પાથરણાવાળાને દુકાનની બહાર જગ્યા ફાળવવાનું નક્કી કરાયું છે. કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં દુકાનની બહાર પટ્ટા પાડવાનું કહેવામાં આવ્યું છે. દુકાનથી ત્રણથી ચાર ફૂટ જગ્યા છોડીને પટ્ટા પાડવામાં આવશે અને ત્યાં પાથરણાવાળાને બેસાડવામાં આવશે.

દુકાનદારોનું કહેવું છે કે દુકાનની બહાર પાથરણાવાળાને બેસાડવું યોગ્ય નથી. સાંકડા રસ્તાને કારણે પાથરણાવાળા અને દુકાનદારોના ગ્રાહકોને કારણે ભીડ થશે અને તેમના બંને વચ્ચે ઘર્ષણ સર્જાય તેમ છે. દુકાનદારોનો માલ સામાનનો ટેમ્પો આવશે તો કઈ રીતે માલ ઉતારવાનો? તેવો પ્રશ્ન પણ દુકાનદારો કરી રહ્યા છે. દુકાનદારો આ અંગે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા બુલંદ માંગ ઉઠી છે.

Related posts

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો