March 24, 2026
મોહનભાગવત
દેશ

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

નાગપુરમાં યોજાયેલા પુસ્તક મહોત્સવ દરમિયાન RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટકોર કરી હતી કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક ભારતીયો પોતાની જ સ્વદેશી ભાષાઓથી અજાણ છે.

રવિવારે નાગપુર બુક ફેસ્ટિવલમાં સંબોધન કરતી વખતે શ્રીવમોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં વિદેશી ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, જ્યારે સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ રહી છે.
ભાગવતજીએ કહ્યું હતું કે, “આપણી ભાષાઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું વહન કરે છે. જ્યારે આપણે આપણી ભાષા ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે આપણા મૂળ સાથેનો સંપર્ક પણ ગુમાવી દઈએ છીએ.”

સંઘ પ્રમુખે યુવા પેઢીને અપીલ કરી હતી કે તેઓ વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં પોતાની માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને વહીવટમાં ભારતીય ભાષાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. ભાગવતજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકારો અને બુદ્ધિજીવીઓને સંબોધતા તેમણે કહ્યું કે, સાહિત્ય જ સમાજને દિશા આપવાનું કામ કરે છે, તેથી ભારતીય ભાષાઓમાં ઉત્તમ સાહિત્યનું સર્જન થવું અત્યંત આવશ્યક છે

Related posts

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

કિન્નરોને મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસરૂપે ટ્રાન્સજેન્ડર પોર્ટલ અસીમ અરૂણ દ્વારા શરૂ કરાયું

Ahmedabad Samay

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો