May 7, 2026
મોહનભાગવત
દેશ

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

નાગપુરમાં યોજાયેલા પુસ્તક મહોત્સવ દરમિયાન RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટકોર કરી હતી કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક ભારતીયો પોતાની જ સ્વદેશી ભાષાઓથી અજાણ છે.

રવિવારે નાગપુર બુક ફેસ્ટિવલમાં સંબોધન કરતી વખતે શ્રીવમોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં વિદેશી ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, જ્યારે સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ રહી છે.
ભાગવતજીએ કહ્યું હતું કે, “આપણી ભાષાઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું વહન કરે છે. જ્યારે આપણે આપણી ભાષા ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે આપણા મૂળ સાથેનો સંપર્ક પણ ગુમાવી દઈએ છીએ.”

સંઘ પ્રમુખે યુવા પેઢીને અપીલ કરી હતી કે તેઓ વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં પોતાની માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને વહીવટમાં ભારતીય ભાષાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. ભાગવતજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકારો અને બુદ્ધિજીવીઓને સંબોધતા તેમણે કહ્યું કે, સાહિત્ય જ સમાજને દિશા આપવાનું કામ કરે છે, તેથી ભારતીય ભાષાઓમાં ઉત્તમ સાહિત્યનું સર્જન થવું અત્યંત આવશ્યક છે

Related posts

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

Ahmedabad Samay

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો