June 22, 2026
મોહનભાગવત
દેશ

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

નાગપુરમાં યોજાયેલા પુસ્તક મહોત્સવ દરમિયાન RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટકોર કરી હતી કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક ભારતીયો પોતાની જ સ્વદેશી ભાષાઓથી અજાણ છે.

રવિવારે નાગપુર બુક ફેસ્ટિવલમાં સંબોધન કરતી વખતે શ્રીવમોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં વિદેશી ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, જ્યારે સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ રહી છે.
ભાગવતજીએ કહ્યું હતું કે, “આપણી ભાષાઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું વહન કરે છે. જ્યારે આપણે આપણી ભાષા ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે આપણા મૂળ સાથેનો સંપર્ક પણ ગુમાવી દઈએ છીએ.”

સંઘ પ્રમુખે યુવા પેઢીને અપીલ કરી હતી કે તેઓ વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં પોતાની માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને વહીવટમાં ભારતીય ભાષાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. ભાગવતજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકારો અને બુદ્ધિજીવીઓને સંબોધતા તેમણે કહ્યું કે, સાહિત્ય જ સમાજને દિશા આપવાનું કામ કરે છે, તેથી ભારતીય ભાષાઓમાં ઉત્તમ સાહિત્યનું સર્જન થવું અત્યંત આવશ્યક છે

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોનફરન્સ દરમ્યાન આપી અનેક સલાહ

Ahmedabad Samay

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો