March 23, 2026
મોહનભાગવત
દેશ

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

નાગપુરમાં યોજાયેલા પુસ્તક મહોત્સવ દરમિયાન RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટકોર કરી હતી કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક ભારતીયો પોતાની જ સ્વદેશી ભાષાઓથી અજાણ છે.

રવિવારે નાગપુર બુક ફેસ્ટિવલમાં સંબોધન કરતી વખતે શ્રીવમોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં વિદેશી ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, જ્યારે સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ રહી છે.
ભાગવતજીએ કહ્યું હતું કે, “આપણી ભાષાઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું વહન કરે છે. જ્યારે આપણે આપણી ભાષા ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે આપણા મૂળ સાથેનો સંપર્ક પણ ગુમાવી દઈએ છીએ.”

સંઘ પ્રમુખે યુવા પેઢીને અપીલ કરી હતી કે તેઓ વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં પોતાની માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને વહીવટમાં ભારતીય ભાષાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. ભાગવતજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકારો અને બુદ્ધિજીવીઓને સંબોધતા તેમણે કહ્યું કે, સાહિત્ય જ સમાજને દિશા આપવાનું કામ કરે છે, તેથી ભારતીય ભાષાઓમાં ઉત્તમ સાહિત્યનું સર્જન થવું અત્યંત આવશ્યક છે

Related posts

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

મહારાષ્ટ્રના બારામતી ખાતે થયું પ્લેન ક્રેશ, મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી અજિત પવારનું થયું અવસાન

Ahmedabad Samay

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો