March 17, 2026
ATS
અપરાધગુજરાત

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને લોકોને દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટોને આપતા હતા.બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ATSએ ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં જાસૂસી રેકેટનો ખુલાસો કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ગોવાથી એ.કે. સિંહ નામના એક વ્યક્તિની જે આર્મીમાં સુબેદાર હોવાનું જાણવા મળ્યું છે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દમણમાંથી રશ્મિની રવિન્દ્ર પાલ નામની એક મહિલાની ધરપકડ કરાઈ છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સીધા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દેશના સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પહોંચાડવામાં સક્રિય હતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપી એ.કે. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને તે પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડવામાં પણ મદદ કરતો હતો.

ઉલ્લેખનીય છેકે ગયા મહિને એટલે કે 7 નવેમ્બર 2025ના રોજ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ શકમંદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી હતી. ATSને અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામના એક શંકાસ્પદ શખ્સ ગુજરાતમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ATSની ટીમે તુરંત કાર્યવાહી કરી હતી,

બાતમીની ખરાઈ કરી અને ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી. દિવસભરની મથામણ બાદ, રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તેની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળતાં ATSની ટીમે તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. ત્યારબાદ અન્ય બેની ધરપકડ કરવામાં આવી

Related posts

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાત્રી કર્ફ્યૂ આગામી 4 જૂન સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું

admin

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો