જાણીતા સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ એક અઠવાડિયા પહેલા સગાઈ કરનાર સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે મળેલી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
