અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. 10 કિમીની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું.
આગામી દિવસોમાં ખારીકટ કેનાલ ખાતે ભવ્ય રોડ શો કરવામાં આવશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઈને કામ વહેલા પૂર્ણ કરવામાં આવશે .
