March 25, 2026
દેશ

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭મી પછી પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી સામાજિક અંતર જ બચાવનો એક માત્ર ઉપાય છે.

વઘુમાં તેમણે જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વ સમક્ષ અનઅપેક્ષિત સંકટ છે. અમેરિકા તથા સિંગાપુરમાં પણ અનેક ચરણોમાં લોકડાઉન રહ્યુ છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગ્યુ છે  અને  કેટલાકમાં નહિ, પરંતુ ભારતે કોરોનાને કાબુ કરવામાં સમગ્ર વિશ્વના મુકાબલે વધુ સફળતા મેળવી છે. આપણા નિષ્ણાંતો રોજેરોજ સ્થિતિની સમિક્ષા કરે  છે પછી પગલા લેવાય છે. ચરણબદ્ધ રીતે લોકડાઉન લાગ્યુ અને એ જ પ્રકારે ઉઠાવી પણ રહ્યા છીએ અને આર્થિક ગતિવિધિ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ૯૦% લોકોએ લોકડાઉનનું પાલન કર્યુ છે. તે દરમિયાન બીઝનેશ શરૂ કરવાની વ્યુહરચનાના ભાગરૂપે સરકાર ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક  રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા છે. સરકારનું માનવુ છે કે સોસીયલ ડિસ્ટન્સ જાળવી અને ટ્રાફીકને નિયંત્રણમા રાખી આ પ્રવૃતિ શરૂ કરી શકાય તેમ છે. ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોનફરન્સ દરમ્યાન આપી અનેક સલાહ

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

આખરે દીદીએ નંદીગ્રામ ગુમાવ્યું,સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે જીત મેળવી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો