June 21, 2026
ગુજરાતદેશ

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ૨-૫ મેની વચ્ચે જ કોરોના વાયરસના ૧૨,૨૩૫ કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ ચાર દિવસોમાં જ Covid-19ના કારણે ૪૫૨ લોકોનાં મોત થયા છે. આમ આંકડાની દૃષ્ટીએ જોઈએ તો ૨-૫ મેની વચ્ચે એવરેજ રોજના ૩૦૫૯ કેસ નોંધાયા છે અને ૧૧૩ લોકોનાં મોત  થયા છે. દેશમાં લગભગ ૫૨,૯૫૨ જેટલા લોકો છેલ્લા ઓફિશિયલ આંકડા મુજબ સંક્રમિત થયા છે અને આ પૈકીના ૧,૭૮૩ લોકોની મોત થઈ ગઈ છે.

પાછલા થોડાક દિવસોમાં કોરોના વાયરસના કેસમાં અને મોતમાં ભયંકર વૃદ્ઘી જોવા મળી છે. મુંબઈમાં મંગળવારે ૬૩૫ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા ૯૭૫૮ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ૩૬માંથી ૩૪ જિલ્લા પ્રભાવિત છે. ગુજરાતમાં ગુરૂવારના સાંજના કેસ પર નજર કરીએ તો આ આંકડો ૩૮૮ છે.દેશના અર્થતંત્રને ચલાવવા ભારતે લોકડાઉનના ત્રીજા તબક્કામાં ઘણી છૂટછાટો આપી હતી,  આમાં દારૂની દુકાનો ખોલવાનો સમાવેશ થાય છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ જોવા મળયો હતો. પરપ્રાંતિઓ, મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ગામોમાં લઇ જવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વિદેશથી પણ હજારો લોકોને  લાવવામાં આવી રહ્યા છે.

છેલ્લા ચાર-પાંચ દિવસમાં અચાનક શું થયું છે?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કેટલાક રાજયોએ સોમવારે જૂના આંકડા જાહેર કર્યા હતા. જયારે કેટલાક રાજયોએ  કોવિડ -૧૯ કેસ સમયસર રિપોર્ટ કર્યા ન હતા. સમયસર રિપોર્ટિંગ અને કોરોના કેસોનું સંચાલન કરવું જરૂરી છે. પરંતુ કેટલાક રાજયોના રિપોર્ટમાં ગાબડા  મળી આવ્યા છે. સતત દબાણ પછી, તે રાજયોએ અહેવાલ પૂર્ણ કર્યો અને કોરોના કેસની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો. કેટલાક નિષ્ણાતો કહે છે કે કોવિડ -૧૯ ભારતમાં હજી ટોચ પર નથી અને આ કારણોસર અચાનક કોરોના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિકસના અધ્યક્ષ પ્રોફેસર ભ્રમર મુખરજી માને છે કે મેના અંતમાં ભારતમાં કોરોના ટોચ પર આવી શકે છે. જોકે, ક્રિશ્યિયન મેડિકલ કોલેજના નિવૃત્ત્। પ્રોફેસર ટી. જેકબ જોનનું માનવું છે કે લોકડાઉનને કારણે કોરોનાનો પીક જૂન-જુલાઈ સુધી મોકૂફ રહી શકે છે.

Related posts

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

Ahmedabad Samay

નાશિક ધર્મ પરિવર્તનના ગંભીર આરોપોનો ખુલાસો,આ સમગ્ર કેસની માસ્ટરમાઈન્ડ તરીકે HR મેનેજર નિદા ખાનનું નામ સામે આવ્યું, અન્યની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ, દરરોજ બને છે ભગવાનનો પ્રસાદ

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો