February 5, 2026
ગુજરાતદેશ

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ૨-૫ મેની વચ્ચે જ કોરોના વાયરસના ૧૨,૨૩૫ કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ ચાર દિવસોમાં જ Covid-19ના કારણે ૪૫૨ લોકોનાં મોત થયા છે. આમ આંકડાની દૃષ્ટીએ જોઈએ તો ૨-૫ મેની વચ્ચે એવરેજ રોજના ૩૦૫૯ કેસ નોંધાયા છે અને ૧૧૩ લોકોનાં મોત  થયા છે. દેશમાં લગભગ ૫૨,૯૫૨ જેટલા લોકો છેલ્લા ઓફિશિયલ આંકડા મુજબ સંક્રમિત થયા છે અને આ પૈકીના ૧,૭૮૩ લોકોની મોત થઈ ગઈ છે.

પાછલા થોડાક દિવસોમાં કોરોના વાયરસના કેસમાં અને મોતમાં ભયંકર વૃદ્ઘી જોવા મળી છે. મુંબઈમાં મંગળવારે ૬૩૫ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા ૯૭૫૮ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ૩૬માંથી ૩૪ જિલ્લા પ્રભાવિત છે. ગુજરાતમાં ગુરૂવારના સાંજના કેસ પર નજર કરીએ તો આ આંકડો ૩૮૮ છે.દેશના અર્થતંત્રને ચલાવવા ભારતે લોકડાઉનના ત્રીજા તબક્કામાં ઘણી છૂટછાટો આપી હતી,  આમાં દારૂની દુકાનો ખોલવાનો સમાવેશ થાય છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ જોવા મળયો હતો. પરપ્રાંતિઓ, મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ગામોમાં લઇ જવા માટે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વિદેશથી પણ હજારો લોકોને  લાવવામાં આવી રહ્યા છે.

છેલ્લા ચાર-પાંચ દિવસમાં અચાનક શું થયું છે?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કેટલાક રાજયોએ સોમવારે જૂના આંકડા જાહેર કર્યા હતા. જયારે કેટલાક રાજયોએ  કોવિડ -૧૯ કેસ સમયસર રિપોર્ટ કર્યા ન હતા. સમયસર રિપોર્ટિંગ અને કોરોના કેસોનું સંચાલન કરવું જરૂરી છે. પરંતુ કેટલાક રાજયોના રિપોર્ટમાં ગાબડા  મળી આવ્યા છે. સતત દબાણ પછી, તે રાજયોએ અહેવાલ પૂર્ણ કર્યો અને કોરોના કેસની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો. કેટલાક નિષ્ણાતો કહે છે કે કોવિડ -૧૯ ભારતમાં હજી ટોચ પર નથી અને આ કારણોસર અચાનક કોરોના કેસો અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિકસના અધ્યક્ષ પ્રોફેસર ભ્રમર મુખરજી માને છે કે મેના અંતમાં ભારતમાં કોરોના ટોચ પર આવી શકે છે. જોકે, ક્રિશ્યિયન મેડિકલ કોલેજના નિવૃત્ત્। પ્રોફેસર ટી. જેકબ જોનનું માનવું છે કે લોકડાઉનને કારણે કોરોનાનો પીક જૂન-જુલાઈ સુધી મોકૂફ રહી શકે છે.

Related posts

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

છ માસની ગર્ભવતી મહિલા રિવરફ્રન્ટ પર પડતું મુકવા જતા બચાવવામાં આવી

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Samay

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો