March 23, 2026
ગુજરાતદેશ

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં જૂન અને જુલાઇ મહિનો કોરોના પોઝિટીવ કેસો માટે પીક સમય છે, ઓગસ્ટ મહિના બાદ કેસો ઓછા થતાં જશે.


કેન્દ્ર સરકાર લોકડાઉનનો સમય ૩૧મી મે સુધી લંબાવી શકે છે. ગુજરાતના  સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાજયો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે.

ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ અતિ ગંભીર ઘટસ્ફોટ કર્યેા છે , ગુલેરિયાએ જણાવ્યું છે કે ભારતમાં આગામી ત્રણ મહિનામાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થશે. તેમણે જણાવ્યું છે કે દિન પ્રતિદિન કેસો વધી રહ્યાં છે ત્યારે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આપણે સફળતા જોઇતી હશે તો ટેસ્ટીંગ ભલે વધે પરંતુ કેસ ઓછા થવા જોઇએ તેથી આપણે સતર્ક રહેવું પડશે.ગુલેરિયાના  સાથે સહમત થતાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિ કહે છે કે  લોકડાઉનથી ખૂબ મોટો ફાયદો મળ્યો છે. આ પગલાંથી કેસો જેટલા ઝડપથી વધવા જોઇતા હતા તે વધ્યાં નથી. લોકોએ સંયમ રાખીને સરકારને સહકાર આપ્યો છે.વધુમાં તેમનું જણાવ્યું છે કે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં જૂન અને જુલાઇ મહિનો એવો છે કે જેમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પીક પર હશે એટલે કે ખૂબ ઝડપથી વધશે. જો લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે અને માસ્ક નહીં પહેરે તો કોરોના પોઝિટીવ કેસનો વિસ્ફોટ સર્જાઇ શકે છે.

જો કે તેમણે કહ્યું કે જૂન અને જુલાઇ મહિના પછી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. સરકારે કોવિડ સેન્ટરોમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવી પડશે અને હોટસ્પોટ વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો રહેશે. ગુલેરિયાની જેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય પાણી પણ માને છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે. લોકોની લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો પડશે. શોપિંગ મોલ્સ, મૂવી થિયેટરમાં જવા માટે નવા નિયમો લાગુ કરવા પડશે. લોકોએ જાતે જ સાવધાનીના પગલાં લેવા પડશે.

Related posts

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનતો જનાના વિભાગના કામમાં દાંડાઈ સામે આવતા સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારશે

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો