દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે.અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કવોર્ડ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે. બનાસકાંઠામાં અન્ય રાજ્યને જોડતી અમીરગઢ સહિતની બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે
