March 23, 2026
દેશ

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭મી પછી પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી સામાજિક અંતર જ બચાવનો એક માત્ર ઉપાય છે.

વઘુમાં તેમણે જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વ સમક્ષ અનઅપેક્ષિત સંકટ છે. અમેરિકા તથા સિંગાપુરમાં પણ અનેક ચરણોમાં લોકડાઉન રહ્યુ છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગ્યુ છે  અને  કેટલાકમાં નહિ, પરંતુ ભારતે કોરોનાને કાબુ કરવામાં સમગ્ર વિશ્વના મુકાબલે વધુ સફળતા મેળવી છે. આપણા નિષ્ણાંતો રોજેરોજ સ્થિતિની સમિક્ષા કરે  છે પછી પગલા લેવાય છે. ચરણબદ્ધ રીતે લોકડાઉન લાગ્યુ અને એ જ પ્રકારે ઉઠાવી પણ રહ્યા છીએ અને આર્થિક ગતિવિધિ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ૯૦% લોકોએ લોકડાઉનનું પાલન કર્યુ છે. તે દરમિયાન બીઝનેશ શરૂ કરવાની વ્યુહરચનાના ભાગરૂપે સરકાર ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક  રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા છે. સરકારનું માનવુ છે કે સોસીયલ ડિસ્ટન્સ જાળવી અને ટ્રાફીકને નિયંત્રણમા રાખી આ પ્રવૃતિ શરૂ કરી શકાય તેમ છે. ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે.

Related posts

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

નેવી ડે નિમિત્તે નેવી દ્વારા ૧૪૦૦ કિલો વજન વાળો ધ્વજ લહેરાવય

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

Ahmedabad Samay

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો