May 7, 2026
દેશ

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭મી પછી પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી સામાજિક અંતર જ બચાવનો એક માત્ર ઉપાય છે.

વઘુમાં તેમણે જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વ સમક્ષ અનઅપેક્ષિત સંકટ છે. અમેરિકા તથા સિંગાપુરમાં પણ અનેક ચરણોમાં લોકડાઉન રહ્યુ છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગ્યુ છે  અને  કેટલાકમાં નહિ, પરંતુ ભારતે કોરોનાને કાબુ કરવામાં સમગ્ર વિશ્વના મુકાબલે વધુ સફળતા મેળવી છે. આપણા નિષ્ણાંતો રોજેરોજ સ્થિતિની સમિક્ષા કરે  છે પછી પગલા લેવાય છે. ચરણબદ્ધ રીતે લોકડાઉન લાગ્યુ અને એ જ પ્રકારે ઉઠાવી પણ રહ્યા છીએ અને આર્થિક ગતિવિધિ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ૯૦% લોકોએ લોકડાઉનનું પાલન કર્યુ છે. તે દરમિયાન બીઝનેશ શરૂ કરવાની વ્યુહરચનાના ભાગરૂપે સરકાર ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક  રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા છે. સરકારનું માનવુ છે કે સોસીયલ ડિસ્ટન્સ જાળવી અને ટ્રાફીકને નિયંત્રણમા રાખી આ પ્રવૃતિ શરૂ કરી શકાય તેમ છે. ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે.

Related posts

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

ચેતી જજો ડેલ્ટા વેરિયન્ટ પુર પાટે વધી રહ્યો છે,૮૫ દેશમાં મચાવી ધમાલ

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

નાગરિકતા સંશોધન (CAA)કાયદો માર્ચથી લાગુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો