August 12, 2026
દેશ

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં શુક્રવારે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, અચાનક બરફનો જંગી કાટમાળ ધસી પડતાં પ્રવાસી વાહનો બરફ નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગંદરબલના એસએસપી ખલીલ પોસવાલની આગેવાનીમાં જમ્મુ કાશ્મીર પોલીસ, એસડીઆરએફ, બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) અને ભારતીય સેનાની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં ૭ લોકોનાં મોતની આશંકા પણ વ્યક્ત કરાઈ છે, જોકે સત્તાવાર આંકડો ૬ મૃત્યુ અને ૫ ઘાયલનો છે.

https://x.com/ANI/status/2037546293292384423?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2037546293292384423%7Ctwgr%5Ea545f44f225551cab66fbac46f0b3cb7ed8e3a57%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-26711926303874527251.ampproject.net%2F2603032146000%2Fframe.html
આ દુર્ઘટના બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતા કારગિલના ડીસી અને એસએસપીને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી વેગવંતી બનાવવા નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી કાર્યાલયે પણ શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે. બરફની સફેદ ચાદર વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવાની કવાયત જારી છે.
હાલમાં ભારે મશીનરી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હોવાથી આ ૪૩૪ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક હાઇવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.

Related posts

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

Ahmedabad Samay

યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું, ૩ થી ૪ કલાક મચાવશે તાંડવ

Ahmedabad Samay

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો