March 28, 2026
દેશ

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં શુક્રવારે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, અચાનક બરફનો જંગી કાટમાળ ધસી પડતાં પ્રવાસી વાહનો બરફ નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગંદરબલના એસએસપી ખલીલ પોસવાલની આગેવાનીમાં જમ્મુ કાશ્મીર પોલીસ, એસડીઆરએફ, બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) અને ભારતીય સેનાની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં ૭ લોકોનાં મોતની આશંકા પણ વ્યક્ત કરાઈ છે, જોકે સત્તાવાર આંકડો ૬ મૃત્યુ અને ૫ ઘાયલનો છે.

https://x.com/ANI/status/2037546293292384423?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2037546293292384423%7Ctwgr%5Ea545f44f225551cab66fbac46f0b3cb7ed8e3a57%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-26711926303874527251.ampproject.net%2F2603032146000%2Fframe.html
આ દુર્ઘટના બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતા કારગિલના ડીસી અને એસએસપીને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી વેગવંતી બનાવવા નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી કાર્યાલયે પણ શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે. બરફની સફેદ ચાદર વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવાની કવાયત જારી છે.
હાલમાં ભારે મશીનરી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હોવાથી આ ૪૩૪ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક હાઇવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.

Related posts

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

ઈલેક્‍ટોરલ બોન્‍ડ પર સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્ણય સંભળાવ્‍યો, અનામી ચૂંટણી બોન્‍ડ માહિતીના અધિકાર અને કલમ ૧૯(૧) (A)નું ઉલ્લંઘન છે

Ahmedabad Samay

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટના માટે બેદરકારી અને ખામીયુક્ત ઇંધણ સ્વીચને જવાબદાર ગણાવીને બોઇંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો