અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. અમદાવાદ શહેરના પ્રાણપ્રશ્નોનો મેનીફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ વોર્ડમાં તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવી તમામ ટેસ્ટ વિનામૂલ્યે આપવાનું વચન આપવામાં આવ્યું છે. સાબરમતી નદીને શુદ્ધ કરવાનું વચન અપાયું છે. દેશના સૌથી ઓછા ટોપ 5 aqi સુધી પહોંચાડીશુ. પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજને 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાશે. સ્વચ્છ જળ, ખાડા વગરના રસ્તા આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. દરેક વોર્ડમાં ધોરણ 12 સુધીનું શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પણ વચન છે. પહેલા ઘરનું ઘર પછી જ ડીમોલેશન કરવાનું વચન અપાયું છે. રસ્તાની ગુણવતા ચકાસવા જનતા ઓડિટ કમિટી બનાવશે. કોર્પોરેશનમાં ખાલી પડેલી 11687 નોકરીઓમાં કાયમી ભરતીનું વચન આપવામાં આવ્યું છે. વૈશ્વિક ગેમ માટે સુભાષચન્દ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે
