June 10, 2026
ગુજરાત

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો., અને આ આગની ઘટનામાં રૂ. 3 લાખની કિંમતનું 60 મણ જીરૂ, પ્લાસ્ટિકની તાડપત્રી 4 અને શીંગડા પાઇપ નંગ- 7 મળી કુલ રૂ. 3,18,500નો મુદામાલ બળીને ખાખ થઇ જતા ખેડૂત પાયમાલ બન્યો હતો.

…આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના સાવડા ગામે વણકર વાસમાં રહેતા ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમણે પોતાના પાંચ વિઘાના ખેતરમાં રવિપાક તરીકે જીરાનું વાવેતર કર્યું હતુ. જેમાં સાવડા ગામની સીમમાં નવા તળાવ પાસે મુળાસરૂ નામે ઓળખાતા ખેતરમાં વાવેલુ જીરૂ પાકી જતાં મજૂરો મારફતે જીરાનો પાક ઉપાડવામાં આવ્યો હતો. અને આ જીરૂ ખેતરમાં પ્લાસ્ટિક પાથરી છોડવા સહિત પાથરેલું હતુ. અને આ જીરાને થ્રેસરમાં કઢાવવાનું બાકી હતુ. અને માવઠાની આગાહીના પગલે જીરાના ઢગલા પર પ્લાસ્ટિકની તાડપત્રી પણ ઢાંકી દેવામાં આવી હતી અને સાવડાના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડ જીરાની દેખરેખ માટે બે રાત્રી રોકાણ પોતાના ખેતરમાં કર્યું હતુ. અને ત્રીજા દિવસે તેઓ પોતાના કાકા અમરાભાઇના ખેતરે જીરૂ વાઢતા હોય મજુરી કામ અર્થે ગયા હતા. અને ત્યાંથી બપોરે જમીને ખેતરે જતાં ખેતરમાં જીરામાં ઢગલામાં આગ લાગતા જીરૂ સળગતું હતુ. અને મોટાભાગનું જીરૂ બળી ગયું હતુ. ખેતર આજુબાજુમાં ક્યાંય પાણીની વ્યવસ્થા ન હોઇ 60 મણ જીરૂ ખેડૂતની આંખ સામે પળવારમાં બળીને ખાખ થઇ ગયું હતુ. સાવડા ગામના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડના ખેતરમાં લાગેલી આગમાં રૂ. 3 લાખની કિંમતનું 60 મણ જીરૂ, રૂ. 14,000ની કિંમતની પ્લાસ્ટિકની તાડપત્રી 4 અને રૂ.4500ની કિંમતના પાણી પાવા માટેના પ્લાસ્ટિકના ટોટા શીંગડા પાઇપ નંગ- 7 મળી કુલ રૂ. 3,18,500નો મુદામાલ બળીને ખાખ થઇ જતા ખેડૂત પાયમાલ બન્યો હતો. આ બનાવ અંગે સાવડા ગામના ખેડૂત ગણેશભાઇ મુળજીભાઇ રાઠોડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ ડી.એલ.પરમાર ચલાવી રહ્યાં છે.
ઉદ

Related posts

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો