પંજાબ સરકાર દ્વારા લોકોની લાગણી અને તેમના દ્વારા આરોગયને લગતા કરવામાં આવેલા વાયદા ખોટા નીકળ્યા છે, પંજાબ સરકાર દ્વારા રૂપિયા 10 લાખનું ફ્રી વીમા કાર્ડ આપવામાં આવ્યું હતું જે ફક્ત ને ફક્ત કાર્ડજ નીકળ્યું, એ કાર્ડ ખાલી કાગળના ટુકડા સમાન નીકળ્યું,
પંજાબમાં એક યુવકે તેના પિતાને હૃદય હુમલો થવાને કારણે ઇમરજન્સી માટે સરકરી ફ્રી વિમા કાર્ડ લઇ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે, પંજાબ સરકાર દ્વારા આપવામાં આવેલ 10 લાખ રૂપિયાનું આરોગ્ય કાર્ડનું કાર્ડ કોઈપણ હોસ્પિટલમાં ચાલ્યું નહિ હદતો ત્યારે થઇ કે તેમની સરકારના જ MLA ના હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે તેમને પણ તે કાર્ડ માન્ય ન રાખ્યું,
જનતાએ વિશ્વાસ કરી જેમને શાસન કરવા મોકો આપ્યો તેમને તેજ જનતા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે, જનતાએ મોટી મોટી લાઈનમાં ઉભા રહીને ફ્રી મેડિકલ ચેકપ કાર્ડ કઢાવ્યું તે કોઇ કામનું ન નીકળ્યું, આમ આદમી પાર્ટી તેમના બ્રાન્ડિંગ માટે કરોડો રૂપિયા વાપરે છે જો તેમાં બદલે જનતાને આપેલા ફ્રી આરોગ્ય કાર્ડના પાછળ વાપરતા તો તે કાર્ડ કદાચ બધા હોસ્પિટલમાં માન્ય રાખત.
