September 11, 2026
ગુજરાત

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી પવિત્ર અને ફળદાયી દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ એક એવું ‘અબુઝ મુહૂર્ત’ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. વર્ષ 2026માં અક્ષય તૃતીયાની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે.

જ્યોતિષીઓના મતે, આ વર્ષે તિથિના ફેરફારને કારણે કેટલાક લોકો 19 એપ્રિલે તો કેટલાક ઉદય તિથિ મુજબ 20 એપ્રિલે આ પર્વ મનાવશે. તિથિ અને મુહૂર્તનું ગણિત પંડિત ગૌરીશંકર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, તૃતીયા તિથિ 19 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10:49 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલ, સોમવારના રોજ સવારે 07:27 વાગ્યા સુધી ચાલશે. જે લોકો ભગવાન પરશુરામનો જન્મોત્સવ મનાવે છે તેઓ પ્રદોષ કાળને ધ્યાને રાખી 19 એપ્રિલે ઉજવણી કરશે, જ્યારે દાન-સ્નાન માટે 20 એપ્રિલની સવાર પણ શ્રેષ્ઠ રહેશે. જો તમે 19 એપ્રિલે પૂજા કરવા માંગતા હોવ, તો સવારે 10:49 થી બપોરે 12:20 સુધીનો સમય સર્વોત્તમ છે.

ખરીદી માટે તમારા શહેરનો શુભ સમય અક્ષય તૃતીયા પર સોનું, ચાંદી કે નવી મિલકત ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલું રોકાણ ક્યારેય ક્ષીણ થતું નથી.

તમારા શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય નીચે મુજબ છે:

•    અમદાવાદ: સવારે 10:49 થી બપોરે 12:39 •    મુંબઈ: સવારે 10:49 થી બપોરે 12:38 •    બેંગલુરુ: સવારે 10:49 થી બપોરે 12:19 •    નવી દિલ્હી: સવારે 10:49 થી બપોરે 12:20 •    જયપુર: સવારે 10:49 થી બપોરે 12:26 •    પુણે: સવારે 10:49 થી બપોરે 12:34 પરંપરા અને સત્કર્મનું મહત્વ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ વિધાન છે. ઘણી જગ્યાએ સત્તુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને જળથી ભરેલા કુંભ (ઘડા) નું દાન કરવામાં આવે છે.

વેપારીઓ માટે પણ આ દિવસ નવા ચોપડા પૂજન કે નવા વ્યવસાયના પ્રારંભ માટે ઉત્તમ ગણાય છે. ઉનાળાની શરૂઆતમાં આવતા આ તહેવારમાં છાસ, પગરખાં અને છત્રીનું દાન કરવું પણ શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી દર્શાવવામાં આવ્યું છે. ભલે તમે સોનું ખરીદો કે ન ખરીદો, પણ આ દિવસે જરૂરિયાતમંદોને દાન આપીને તમે પુણ્યનું ‘અક્ષય’ ભાથું ચોક્કસ બાંધી શકો છો.

Related posts

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટની પ્રથમ બેઠનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો