હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી પવિત્ર અને ફળદાયી દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ એક એવું ‘અબુઝ મુહૂર્ત’ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. વર્ષ 2026માં અક્ષય તૃતીયાની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે.
જ્યોતિષીઓના મતે, આ વર્ષે તિથિના ફેરફારને કારણે કેટલાક લોકો 19 એપ્રિલે તો કેટલાક ઉદય તિથિ મુજબ 20 એપ્રિલે આ પર્વ મનાવશે. તિથિ અને મુહૂર્તનું ગણિત પંડિત ગૌરીશંકર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, તૃતીયા તિથિ 19 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10:49 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલ, સોમવારના રોજ સવારે 07:27 વાગ્યા સુધી ચાલશે. જે લોકો ભગવાન પરશુરામનો જન્મોત્સવ મનાવે છે તેઓ પ્રદોષ કાળને ધ્યાને રાખી 19 એપ્રિલે ઉજવણી કરશે, જ્યારે દાન-સ્નાન માટે 20 એપ્રિલની સવાર પણ શ્રેષ્ઠ રહેશે. જો તમે 19 એપ્રિલે પૂજા કરવા માંગતા હોવ, તો સવારે 10:49 થી બપોરે 12:20 સુધીનો સમય સર્વોત્તમ છે.
ખરીદી માટે તમારા શહેરનો શુભ સમય અક્ષય તૃતીયા પર સોનું, ચાંદી કે નવી મિલકત ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલું રોકાણ ક્યારેય ક્ષીણ થતું નથી.
તમારા શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય નીચે મુજબ છે:
• અમદાવાદ: સવારે 10:49 થી બપોરે 12:39 • મુંબઈ: સવારે 10:49 થી બપોરે 12:38 • બેંગલુરુ: સવારે 10:49 થી બપોરે 12:19 • નવી દિલ્હી: સવારે 10:49 થી બપોરે 12:20 • જયપુર: સવારે 10:49 થી બપોરે 12:26 • પુણે: સવારે 10:49 થી બપોરે 12:34 પરંપરા અને સત્કર્મનું મહત્વ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ વિધાન છે. ઘણી જગ્યાએ સત્તુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને જળથી ભરેલા કુંભ (ઘડા) નું દાન કરવામાં આવે છે.
વેપારીઓ માટે પણ આ દિવસ નવા ચોપડા પૂજન કે નવા વ્યવસાયના પ્રારંભ માટે ઉત્તમ ગણાય છે. ઉનાળાની શરૂઆતમાં આવતા આ તહેવારમાં છાસ, પગરખાં અને છત્રીનું દાન કરવું પણ શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી દર્શાવવામાં આવ્યું છે. ભલે તમે સોનું ખરીદો કે ન ખરીદો, પણ આ દિવસે જરૂરિયાતમંદોને દાન આપીને તમે પુણ્યનું ‘અક્ષય’ ભાથું ચોક્કસ બાંધી શકો છો.
