June 5, 2026
ગુજરાત

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી પવિત્ર અને ફળદાયી દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ એક એવું ‘અબુઝ મુહૂર્ત’ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. વર્ષ 2026માં અક્ષય તૃતીયાની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે.

જ્યોતિષીઓના મતે, આ વર્ષે તિથિના ફેરફારને કારણે કેટલાક લોકો 19 એપ્રિલે તો કેટલાક ઉદય તિથિ મુજબ 20 એપ્રિલે આ પર્વ મનાવશે. તિથિ અને મુહૂર્તનું ગણિત પંડિત ગૌરીશંકર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, તૃતીયા તિથિ 19 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10:49 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલ, સોમવારના રોજ સવારે 07:27 વાગ્યા સુધી ચાલશે. જે લોકો ભગવાન પરશુરામનો જન્મોત્સવ મનાવે છે તેઓ પ્રદોષ કાળને ધ્યાને રાખી 19 એપ્રિલે ઉજવણી કરશે, જ્યારે દાન-સ્નાન માટે 20 એપ્રિલની સવાર પણ શ્રેષ્ઠ રહેશે. જો તમે 19 એપ્રિલે પૂજા કરવા માંગતા હોવ, તો સવારે 10:49 થી બપોરે 12:20 સુધીનો સમય સર્વોત્તમ છે.

ખરીદી માટે તમારા શહેરનો શુભ સમય અક્ષય તૃતીયા પર સોનું, ચાંદી કે નવી મિલકત ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલું રોકાણ ક્યારેય ક્ષીણ થતું નથી.

તમારા શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય નીચે મુજબ છે:

•    અમદાવાદ: સવારે 10:49 થી બપોરે 12:39 •    મુંબઈ: સવારે 10:49 થી બપોરે 12:38 •    બેંગલુરુ: સવારે 10:49 થી બપોરે 12:19 •    નવી દિલ્હી: સવારે 10:49 થી બપોરે 12:20 •    જયપુર: સવારે 10:49 થી બપોરે 12:26 •    પુણે: સવારે 10:49 થી બપોરે 12:34 પરંપરા અને સત્કર્મનું મહત્વ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ વિધાન છે. ઘણી જગ્યાએ સત્તુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને જળથી ભરેલા કુંભ (ઘડા) નું દાન કરવામાં આવે છે.

વેપારીઓ માટે પણ આ દિવસ નવા ચોપડા પૂજન કે નવા વ્યવસાયના પ્રારંભ માટે ઉત્તમ ગણાય છે. ઉનાળાની શરૂઆતમાં આવતા આ તહેવારમાં છાસ, પગરખાં અને છત્રીનું દાન કરવું પણ શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી દર્શાવવામાં આવ્યું છે. ભલે તમે સોનું ખરીદો કે ન ખરીદો, પણ આ દિવસે જરૂરિયાતમંદોને દાન આપીને તમે પુણ્યનું ‘અક્ષય’ ભાથું ચોક્કસ બાંધી શકો છો.

Related posts

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો