June 8, 2026
ગુજરાત

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી પવિત્ર અને ફળદાયી દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ એક એવું ‘અબુઝ મુહૂર્ત’ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. વર્ષ 2026માં અક્ષય તૃતીયાની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે.

જ્યોતિષીઓના મતે, આ વર્ષે તિથિના ફેરફારને કારણે કેટલાક લોકો 19 એપ્રિલે તો કેટલાક ઉદય તિથિ મુજબ 20 એપ્રિલે આ પર્વ મનાવશે. તિથિ અને મુહૂર્તનું ગણિત પંડિત ગૌરીશંકર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, તૃતીયા તિથિ 19 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10:49 વાગ્યે શરૂ થશે અને 20 એપ્રિલ, સોમવારના રોજ સવારે 07:27 વાગ્યા સુધી ચાલશે. જે લોકો ભગવાન પરશુરામનો જન્મોત્સવ મનાવે છે તેઓ પ્રદોષ કાળને ધ્યાને રાખી 19 એપ્રિલે ઉજવણી કરશે, જ્યારે દાન-સ્નાન માટે 20 એપ્રિલની સવાર પણ શ્રેષ્ઠ રહેશે. જો તમે 19 એપ્રિલે પૂજા કરવા માંગતા હોવ, તો સવારે 10:49 થી બપોરે 12:20 સુધીનો સમય સર્વોત્તમ છે.

ખરીદી માટે તમારા શહેરનો શુભ સમય અક્ષય તૃતીયા પર સોનું, ચાંદી કે નવી મિલકત ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલું રોકાણ ક્યારેય ક્ષીણ થતું નથી.

તમારા શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય નીચે મુજબ છે:

•    અમદાવાદ: સવારે 10:49 થી બપોરે 12:39 •    મુંબઈ: સવારે 10:49 થી બપોરે 12:38 •    બેંગલુરુ: સવારે 10:49 થી બપોરે 12:19 •    નવી દિલ્હી: સવારે 10:49 થી બપોરે 12:20 •    જયપુર: સવારે 10:49 થી બપોરે 12:26 •    પુણે: સવારે 10:49 થી બપોરે 12:34 પરંપરા અને સત્કર્મનું મહત્વ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ વિધાન છે. ઘણી જગ્યાએ સત્તુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને જળથી ભરેલા કુંભ (ઘડા) નું દાન કરવામાં આવે છે.

વેપારીઓ માટે પણ આ દિવસ નવા ચોપડા પૂજન કે નવા વ્યવસાયના પ્રારંભ માટે ઉત્તમ ગણાય છે. ઉનાળાની શરૂઆતમાં આવતા આ તહેવારમાં છાસ, પગરખાં અને છત્રીનું દાન કરવું પણ શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી દર્શાવવામાં આવ્યું છે. ભલે તમે સોનું ખરીદો કે ન ખરીદો, પણ આ દિવસે જરૂરિયાતમંદોને દાન આપીને તમે પુણ્યનું ‘અક્ષય’ ભાથું ચોક્કસ બાંધી શકો છો.

Related posts

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

 અમદાવાદ સમયની જાહેર જનતાને અપીલ

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો