June 22, 2026
ગુજરાત

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે પહોંચીને મતદાર યાદીમાં નોંધણી માટેના ફોર્મ વહેંચી દીધા છે. મતદારોએ આ ફોર્મમાં અપડેટેડ માહિતી ભરીને BLOને આપવાની રહેશે. ૪ નવેમ્‍બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા ૪ ડિસેમ્‍બર સુધી ચાલવાની છે. ત્‍યારે હવે ચૂંટણી પંચ દ્વારા મતદારોને BLOએ આપેલા ફોર્મ ભરીને જમા કરાવવા માટે બે દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે.

રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી દ્વારા SIR ૨૦૨૫ને લઈને એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના હેઠળ મતદારો પોતાનું તથા પોતાના માતા-પિતા, દાદા-દાદી તથા ઘરના અન્‍ય સભ્‍યોનું સહી કરેલું ફોર્મ જમા કરાવી શકે છે. BLOને ફોર્મ જમા કરાવવા માટે તમામ વિગતો ભરેલી હોવી જરૂરી નથી. જો તમને યોગ્‍ય વિગત ન મળે, તો ‘વિગતો વિના’નું SIR ફોર્મ પણ તમે જમા કરાવી શકશો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં SIRની પ્રક્રિયામાં ૫ કરોડથી વધુ મતદારોને આવરી લેવામાં આવ્‍યા છે. પરંતુ ૨૦૦૨ની મતદાર યાદી પ્રમાણે એવા કેટલાક મતદારો હશે, જેમના નામ બે જગ્‍યાએ ચાલતા હશે. તેથી આવી ખામીઓ દૂર કરવા માટે SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધવા જેવી વાત એ છે કે, મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે

Related posts

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

લવ જેહાદ મામલે વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા

Ahmedabad Samay

અમદાવાદ ગોઝારો અકસ્માત: મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો