June 27, 2026
રાજકારણ

નરેન્દ્રભાઈ મોદી દ્વારા બચત ને લઈ કરવામાં આવેલ દેશના સંસાધનોની અસર, નેતાઓએ અપનાવ્યો સાદગીનો રસ્તો

નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના સંસાધનોની બચત, પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો અને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા માટે કરવામાં આવેલી અપીલને પગલે દેશભરમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓ દ્વારા તેને અમલી બનાવવા માટે સક્રિયતા દાખવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રથી લઈને દિલ્હી અને મધ્યપ્રદેશ સુધીના જનપ્રતિનિધિઓએ પોતાના વૈભવી વાહનો અને પ્રવાસો ત્યાગીને સામાન્ય જનતા માટે સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહારાષ્ટ્રમાં વિદેશ પ્રવાસ પર કાપ અને કડક નિયમો:

મહારાષ્ટ્રમાં વડાપ્રધાનની અપીલની સૌથી વધુ અસર જોવા મળી છે. રાજ્યના ધારાસભ્યોનો સૂચિત જાપાન પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, સાંસ્કૃતિક બાબતોના વિભાગે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની યોજના પડતી મૂકીને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે વર્ચ્યુઅલ રીતે ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પણ નવો નિયમ બનાવ્યો છે કે હવેથી કોઈ પણ મંત્રીએ સરકારી વિમાનનો ઉપયોગ કરતા પહેલા લેખિત મંજૂરી લેવી પડશે. મંત્રી ચંદ્રશેખર બાવનકુળે અને નિતેશ રાણેએ વિભાગીય બેઠકો ઓનલાઇન યોજવાનું શરૂ કર્યું છે જેથી પ્રવાસનો ખર્ચ અને સમય બચે.

કેન્દ્રીય મંત્રીઓએ જાહેર પરિવહન અપનાવ્યું:

કેન્દ્ર સરકારના મંત્રીઓએ પણ આ આહ્વાનને ઝીલી લીધું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ઈંધણનો બચાવ કરવા માટે પોતાના કાફલામાંથી એસ્કોર્ટ (પાયલોટ) વાહનોની સુવિધા છોડી દીધી છે. સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ પેટ્રોલ-ડીઝલના વપરાશને પ્રોત્સાહન ન આપવા માટે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. નેતાઓના આ બદલાવથી વહીવટી તંત્ર અને જનતામાં પણ સકારાત્મક સંદેશ જઈ રહ્યો છે.

દિલ્હી અને મધ્યપ્રદેશમાં ઈ-વ્હીકલનો વધતો વપરાશ:

દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદ પોતાની કાર છોડીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી અને ત્યારબાદ સૂરજમલ વિહારમાં શાળાઓની મુલાકાત લેવા માટે ઈ-રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. મધ્યપ્રદેશમાં પણ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર શહેરમાં સત્તાવાર કામકાજ માટે ઈલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ભોપાલ દક્ષિણ-પશ્ચિમના ધારાસભ્ય ભગવાનદાસ સબનાનીએ પણ ઈંધણ બચાવવા માટે ઈ-રિક્ષામાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે.

વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન ટેકનોલોજી પર ભાર:

વિવિધ રાજ્યોના મંત્રીઓએ હવે પ્રવાસના બોજને ઘટાડવા માટે ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓનલાઇન મીટિંગ્સને પ્રાધાન્ય આપ્યું છે. મહારાષ્ટ્રના બંદરો અને મત્સ્યોદ્યોગ મંત્રી નિતેશ રાણેએ તમામ વિભાગીય બેઠકો ઓનલાઇન ખસેડવા આદેશ આપ્યા છે. વડાપ્રધાનની આ કરકસરની અપીલને કારણે સરકારી તિજોરી પર પડતો આર્થિક બોજ ઘટશે અને પર્યાવરણના જતનમાં પણ મદદ મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. સમગ્ર દેશમાં ભાજપના નેતાઓ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી એક નવી રાજકીય સંસ્કૃતિનો ઉદય થયો છે.

Related posts

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

નરેન્‍દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલા જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

ભાજપ સત્તામાં આવશે પણ ઘર આંગણે ઈજ્જત ન બચાબી શકી

Ahmedabad Samay

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો