May 19, 2026
ગુજરાત

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફુલસ્કેપ ચોપડા ઉપક્રમ કરવામાં આવ્યું

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સંચાલિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (KVMMP TRUST)રાયખડ, ખમાસા, અમદાવાદ, દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ફુલસ્કેપ ચોપડા વિતરણ ઉપક્રમને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ઉપક્રમ અંતર્ગત ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે કુલ ૬૦૦ ડઝન ફુલસ્કેપ ચોપડા અનુદાનિત દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને માત્ર ₹150 પ્રતિ ડઝન ના દરે ચોપડા આપવામાં આવી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને વધુમાં વધુ 2 ડઝન ચોપડા આપવામાં આવી રહ્યા છે.

આ યોજના ધોરણ 6 પાસ અને તેનાથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે. ઉપક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ માત્ર શૈક્ષણિક સાધનોના અભાવે અટકી ન જાય.

સમાજના દાતાશ્રીઓ અને સહયોગીઓના સહકારથી આ સેવા કાર્ય શક્ય બન્યું છે. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ચોપડા વિતરણ કાર્ય સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે.

સમાજના તમામ બાંધવોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા તથા આ સેવા કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.

આ ઉપક્રમને સમાજમાં શિક્ષણ પ્રત્યેની જવાબદારી, એકતા અને સામાજિક સહકારનું સુંદર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

Related posts

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો