June 10, 2026
ગુજરાત

કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા

રાજય મંત્રી મંડળની બેઠક આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ. જેમાં કોરોનાની પરિસ્થિતિની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. હાલનો કેસ વધવાનો પ્રવાહ જોતા આ અઠવાડીયામાં જ મોટા ઉછાળાના એંધાણ છે. તેને અનુલક્ષીને સરકાર પૂર્વ તૈયારી કરી રહી છે. મુખ્ય સચિવશ્રી પંકજકુમારે આજે ૩.૩૦ વાગ્યે તમામ જિલ્લા પ્રભારી સચિવોની તાકીદની બેઠક યોજેલ છે. નિયંત્રણો વધુ કડક થશે.

કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા વગેરે મહાનગરોમાં હાલ રાત્રે ૧૦ થી ૬ કરફયુનો સમય છે તે રાત્રે એક-બે કલાક વધારવામાં આવે તેવી શકયતા છે. વેપાર – ધંધા ચાલુ રહેવાની સાથે કોરોના નિયંત્રણમાં રહે તેવી સરકારની લાઇન છે. સરકારી કચેરીઓમાં પ૦ ટકા હાજરીથી કામ ચલાવવાનું વિચારાધીન હોવાનું જાણવા મળે છે.

ખાનગી ક્ષેત્રે પણ આવા નિયંત્રણો આવી શકે છે. કોરોનાની હાલની ગાઇડ લાઇન તા. રર સુધીની છે બે દિવસમાં નવી ગાઇડ લાઇન જાહેર થવાના નિર્દેષ છે.

New up 01

Related posts

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો