March 21, 2025
ગુજરાત

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

અમદાવાદમાં  શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એટલે કે ૬૦ કલાક માટે કરફ્યુ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે. આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી દરરોજે રાત્રે નવ વાગ્યાથી દરરોજે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે. હવે અમદાવાદમાં શનિવાર અને રવિવારે પણ કરફ્યુ લાગુ પડશે. કરફ્યુ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે.

અમદાવાદમાં આ અગાઉ પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવાયો હતો. હવે કેસો વધવાના પગલે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આમ હવે જો કરફ્યુના સમયગાળા દરમિયાન રાત્રે બહાર દેખાશો તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે.અને ટ્વીટ કરીને પણ માહિતી આપી છે.હવે લાંબા સમય સુધી નાઇટ કરફ્યુ લાગુ પડે તેવી સંભાવના પણ લાગે છે.

Related posts

ભાગ્યે જ જોવા મળતા ફેફસાની ગાંઠની જીસીએસ હોસ્પિટલમાં થઇ નિઃશુલ્ક સર્જરી

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો