June 22, 2026
ગુજરાત

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

અમદાવાદમાં  શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધી એટલે કે ૬૦ કલાક માટે કરફ્યુ લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે. આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી દરરોજે રાત્રે નવ વાગ્યાથી દરરોજે સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે. હવે અમદાવાદમાં શનિવાર અને રવિવારે પણ કરફ્યુ લાગુ પડશે. કરફ્યુ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. બાકીની તમામ દુકાનો બંધ રહેશે.

અમદાવાદમાં આ અગાઉ પહેલી ઓગસ્ટે કરફ્યુ હટાવાયો હતો. હવે કેસો વધવાના પગલે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આમ હવે જો કરફ્યુના સમયગાળા દરમિયાન રાત્રે બહાર દેખાશો તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે.અને ટ્વીટ કરીને પણ માહિતી આપી છે.હવે લાંબા સમય સુધી નાઇટ કરફ્યુ લાગુ પડે તેવી સંભાવના પણ લાગે છે.

Related posts

ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાઈ  

Ahmedabad Samay

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો