ખોખરા વિસ્તારમાં આવેલી ભગવાનદાસની ચાલીમાં એક યુવકની કરપીણ હત્યા થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકની હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા પરિવારજનો અને સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.
