March 27, 2026
Other

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે નાગાલેન્ડમાં પ્રચાર કર્યો. શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે નાગાલેન્ડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નાગાલેન્ડ બીજેપી ચીફ તેમજેન ઈમના અલંગના ખૂબ વખાણ કર્યા. આનો એક વીડિયો તેમજેન ઇમના અલંગ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને એક અનોખું કેપ્શન લખવામાં આવ્યું છે.

પીએમ મોદીએ વખાણ કર્યા

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અલંગના વખાણ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તેમજેન ઇમનાએ નાગાલેન્ડને દુનિયા સમક્ષ સારી રીતે રજૂ કર્યું છે. તેમને આખો દેશ સાંભળે છે. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર નાગાલેન્ડ અને પૂર્વોત્તરના લોકોનું શાનદાર પ્રતિનિધિત્વ કર્યું છે. હું પણ તેમને સોશિયલ મીડિયા પર જોતો રહું છું.

વખાણ સાંભળીને ખુશ

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વખાણ પર તેમજેન ઇમના ખૂબ જ ખુશ છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે પીએમ નરેન્દ્ર મોદીને ગુરુજી કહ્યા છે. 32 સેકન્ડનો આ વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’ તમને જણાવી દઈએ કે નાગાલેન્ડના બીજેપી પ્રદેશ અધ્યક્ષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની બોલવાની અને પોસ્ટ શેર કરવાની અનોખી સ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ થઈ ગયા છે.

ભૂતકાળમાં તેમણે સોશિયલ મીડિયા પર પોતાની વાંસની બનેલી બોટલોની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટને શેર કરતી વખતે તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, બમ્બૂ દેને કે નહીં, બમ્બૂ સે પાની પીને કા. તમને જણાવી દઈએ કે ટેમજેન પોતાની અનોખી શૈલીમાં ભાષણ આપવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા માટે જાણીતા છે.

Related posts

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો