August 9, 2026
ગુજરાત

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

વડાપ્રધાન મોદીની વિડીયો કોન્ફરન્સ થકી મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ મળેલા નિર્દેશોથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે લોકડાઉનનો ક ચોથો તબક્કો પણ આવશે.

વડાપ્રધાને  મુખ્યમંત્રીઓને વધુમાં જણાવ્યું છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં લોકડાઉનની કેવી વ્યવસ્થા ઈચ્છે છે ? તેની  વિગતો ૧૫મી સુધીમાં જણાવે.

જો કે ગુજરાતના મુખ્યમંત્રી  રૂપાણીએ લોકડાઉન લંબાવવાનો વિરોધ કર્યો હતો અને જાણવા મળ્યા મુજબ ગુજરાત અલગ અલગ  પ્રકારના નિયમો સાથે લોકડાઉનમાં રાહતો આપવા ગંભીરતાથી વિચારી રહી છે. કડક નિયમો  સાથે લોકડાઉનમાં છૂટછાટ આપવા ગુજરાત સરકારે મન બનાવ્યુ છે.  હોટસ્પોટના વિસ્તારોમાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકાર દ્વારા હાર્ડવેર, ઈલેકટ્રીક, બુટ-ચપ્પલ, કપડા, સિમેન્ટ સહિતની દુકાનો ખોલવા વિચારી કરી રહી ક છે. હોટલ, રેસ્ટોરન્ટને પાર્સલ સેવાની છૂટ આપવામાં આવશે. સ્કૂલ, મોલ્સ, સિનેમા ઘરો સહિત ભીડભાડવાળા ધાર્મિક સ્થળો હજુ બંધ રહે તેવી શકયતા છે. તમામ બજારો સવારે ૭ થી સાંજના ૫ સુધી ખુલી રાખવા મંજુરી આપવામાં આવશે.વધુ માહિતી મુજબ એવુ પણ નક્કી થઈ રહ્યુ છે કે જો કોરોનાના  કેસમાં વધારો થશે તો છૂટછાટ પાછી પણ ખેંચાશે.

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Amar Lavangare (Sandip) July 14, 2020 at 7:22 pm

ભાઈ મારા હિસાબ થી તો લૉકડાઉન સાંજેથી 5 થી સવારે 5 વાગ્યા વાગ્યા સુધી રેહવું જોઈએ અને પાન મસાલા ના અને ખાની પીની લી લારીઓ તો બિલકુલ બંધ હોવી જોઈએ

જવાબ
Ahmedabad Samay November 27, 2020 at 2:56 pm

Thanks for the reply

જવાબ

એક ટિપ્પણી મૂકો