June 22, 2026
જીવનશૈલી

જાણો અંતરમન ની શક્તિ વિશેની અદભુત વાતો( પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

અંતરમન ની શક્તિ

મિત્રો જો અંતર મન થી પોતાને પૂછવામાં આવે કે હું શું વાસ્તવિક માં સુખી અને સમૃદ્ધ છું ?
શું મારા થકી લોકો ને લાભ થશો છે ?
શું. હું મારા જીવન ની બધીજ જરૂરતો મે પૂરી કરી શક્યો છું?
શું મે લોક હિત માટે કાર્ય કરું તેના માટે મારું ધન ફાળવ્યું છે.
ધન નો અર્થ સમય,સેવા,કે યોગદાન કે સહયોગ પણ હોઈ શકે છે. જેમની પાસે ધન પ્રમાણ માં તે લોકો એ એમ સમજવું.
શું હું આ વાત ને જનું છું કે બધાજ લોકો સુખી થઈ ગયા છે?
શું મારા જીવન નો વાસ્તવિક ધ્યેય માત્ર મારું ઘર પૂરતું વિચારવાનું છે?
જ્યારે હું મારા માટે વિચાર કરું છું તો મને મારા પૂરતું મળે છે.
તો કેમ મારી વિચાર શક્તિ ની ઊર્જા ને લોકો માટે વાપરું?
જેથી બધા લોકો ને સરખો ન્યાય અને લાભ મળે?
હું જો મારી માટેજ વિચાર કરું છું. તો એનો મને મારા જીવન માં વધુ મે વધુ કેટલો લાભ થવાનો છે ?

આ બધાજ સવાલ આપણી અંતર આત્મા ને પૂછીએ અને બદલાવ જરૂરી છે કે નહિ તે પણ વિચારીએ. સમય એવો ખરાબ તો આવીજ ગયો છે કે લોકો પહેલા હસતા બાળક ને લઈને રમતા હતા
ત્યાં હવે ૮૦૦ કિલોમીટર દૂર એક ૪ વર્ષ ના મૃત્યુ થયેલા બાળક ને પોતાના આંચળ માં છુપાવી ને લઈ જાય છે.
શું આ ઉદાહરણ પૂરતું નથી?
કે કઈ તો ભૂલ થઈ રહી છે. હજી પણ આપણા થી.
વિચાર કરજો.
જો હું એક માટે પણ વિચાર કરી ને એની પ્રગતિ માટે કાર્ય કરું તો .
આવનારા દિવસ માં કોઈ મંદિર ની સામે ભિખારી નહિ બેસે. એટલી
સંપત્તિ અને ધન આ ભારત માં જ છે. જે શું ભૂલ કરીએ છીએ ને હાથ નથી આવતી બસ તેજ રહસ્યો આ પુસ્તક માં ખોલ્યા છે.
જે રકમ મને મળે છે. તેનો મોટા ભાગ નો હિસ્સો મે જે વિચારો રજૂ કર્યા છે. તેની પાછળ જ ખર્ચ કરું છું.
બસ કોઈ એક સમજદાર વ્યક્તિ ની રાહ જોવું છું. કે હવે બહુ થઈ ગયું. જેટલું મહત્વ દાન ને આપીએ છીએ તેટલું મહત્વ એક જ્ઞાન એટલે સમજ ને પણ આપીએ. અને પોત પોતાની ભૂમિકા સમજી ને કાર્ય આગળ વધારીએ.
મહાભારત રામાયણ માત્ર ટીવી માં જોઈને જો દુનિયા નું દર્દ ઓછું થતું હોત. તો આ દુનિયા માં ભારત નો ભૂગોળ બદલાઈ ગયો હોત.
આ મારા અંતરાત્મા માંથી નીકળેલી અવાજ છે. આને કોઈ લેખ ન સમજતા.
ધન્યવાદ મિત્રો

વધુ વાંચવા માટે અહી ક્લિક કરો.

પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર

 

Related posts

૪૧ આવશ્‍યક પેટ્રોકેમિકલ વસ્‍તુઓ પર કસ્‍ટમ ડ્‍યુટી સંપૂર્ણપણે માફ કરવામાં આવી, જાણો ઘર વપરાશ વાળી કઇ વસ્તુ થઇ સસ્તી

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

Ahmedabad Samay

કબજિયાતથી છુટકારો મેળવવા માટે આ કુદરતી રીતો અજમાવો, પછી જુઓ કમાલ….

Ahmedabad Samay

દહીંમાં પણ હોઈ શકે છે ભેળસેળ, ખરીદીને ખાતા હોવ તો જાણી લો આ FSSAI ગાઈડલાઈન્સ વિશે

Ahmedabad Samay

આ ચા ટાઇપ-2 ડાયાબિટીસની શ્રેષ્ઠ સારવાર છે, તેનાથી 30 દિવસમાં બ્લડ સુગર ઘટવાની શક્યતાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો