ટ્રેન યોર બ્રેન
કોઈ પણ કાર્ય માટે આપને સહુ મિત્રો એક આયોજન કરીએ છીએ. એક પૂર્વ પ્લાનિંગ હોય છે આપણી પાસે. ક્યાં જવું છે. કઈ રીતે જવું છે. ક્યાં રોકાવું છે. કે પછી કોઈ કાર્યક્રમ પણ લગ્ન જેવો કે અન્ય કાર્યક્રમો જે કરીએ છીએ તેની યોજના બનાવીએ છીએ. આ તો સહુ લોકો ને જાણ છે જ.
પણ આ બધું કરવા માટે આપણું મગજ કેટલા ટકા તૈયાર હોય છે ? શું એ ખ્યાલ છે મિત્રો ? તો હવે હું આપને એનું રહસ્ય કહું છું. ૮૦% આપણું માઈન્ડ સેટ હોય છે. પછી એ
મજબૂરી હોય કે પછી જરૂરત હોય. જેમકે કોઈ પ્રસંગ કાઢવો લગ્ન નો બાળકો નો. તો બાકી ૨૦% આપણે માત્ર પ્રયત્ન કરીએ છીએ અને વ્યવસ્થા પૂરી થઈ જાય છે.
પ્રસંગ પૂરો થઈ જાય છે.
એટલે કે માત્ર 80% માનસિક રીતે આપણે ત્યારે તૈયાર હોઈએ છીએ. તો કોશિશ તો 20% જ
કરેલી . અને સફળતા મળી ગઈ. બસ હવે વિચાર એ કરવાનો છે. કે જીવન ને ઉત્તમ સુખી, ધની અને સમૃદ્ધ અને સુખ શાંતિ વાળું બનાવવું હોય ને તો પણ આ જ નિયમ કામ કરે છે. માત્ર 80% માઈન્ડ સેટ કરવું પડે છે.
બાકી દરેક ક્ષેત્ર ના સફળતા તો માત્ર 20% માં મળી જાય છે. પણ તે કઈ રીતે શક્ય છે ? શું તમે કોઈ એવા જહાજ માં બેઠા છો જે જહાજ ને ખબર જ નથી કે માટે જવું તો છે પણ દિશા કઈ છે એ મને ખબર નથી. એટલે કે એની પાસે દિશા સૂચક યંત્ર એટલેકે હોકા યંત્ર નથી.
તો શું તમે બેસશો એની અંદર ?
નહિ ને તો કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી
સફળતા માટે ના આયોજનો જો કોઈ પેપર પર લખેલા નહિ હોય તો આપના જીવન ની નૌકા પણ એ દિશા વગરજ ચાલ્યા કરે છે. જેને આપણે
સરળ ભાષા માં કહીએ છીએ કે મારું જીવન તો ભાઈ હવે ભગવાન ભરોસે છે.તો તમને એવું નથી લાગતું આવું કોઈ કહેતું હોય તો. કે ક્યાંય ભગવાન તો આપણા ભરોસે નહિ બેઠો હોય ને ? કારણ કે વિના યોજના જીવન જીવવું હે માત્ર જીવન વિતાવ્યા મુજબ છે. મિત્રો અને એનું પરિણામ અને લક્ષણો નાની માનસિકતા નવું શીખવા તૈયાર ન થવું.
દુઃખી રહેવું.
નિરાશ રહેવું.
બીમાર થવું
પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર.
વધુ રસપ્રદ વાંચવા અહીં ક્લિક કરો.
