May 8, 2026
ગુજરાત

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

કોરોના ને લઈ નવા નવા પરિકક્ષણ કરવામાં આવે છે જ્યારે  નિષ્ણાંતોના મતે વિશ્વના વિકસીત રાષ્ટ્રોની લેબોરેટરીમાં થયેલાં ટેસ્ટીંગમાં એવું સાબીત થયું છે કે, અતિ સુક્ષ્મ કોરોના વાઈરસનું બાહ્ય આવરણ મેડિકલ ભાષામાં  લાઈપિડ એટલે સાદી ભાષામાં ચરબીનું બનેલુ હોય છે એટલા માટે વારંવાર સાબુથી વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોરોના વાઈરસે જયારે ભારતમાં  દસ્તક આપી  હતી ત્યારે એવો વૈજ્ઞાનિક અનુમાન હતો કે વિશ્વમાં મહામારી ફેલાવનારો આ વાઈરસ ૩૫ ડિગ્રી ઉષ્ણતામાનમાં ટકી શકે નહીં, આજે ગુજરાતમાં  સરેરાશ ૪૨ ડિગ્રી ગરમી વરસી રહી છે છતાં કોરોના વાઈરસ સક્રીય છે અને વધુ આક્રમક બની રહયો છે.

લેબોરેટરી ટેસ્ટમાં તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ મુજબ કોરોના વાઈરસ લગાતાર ૫૬ ડિગ્રી સુધી જીવંત રહી શકે છે પરંતુ નવી આશા એવી જન્મી છે કે, ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ  ૭૦ ટકાની આસપાસ વધે એટલે કોરોના વાઈરસનો ખાત્મો બોલાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારી છે. હવામાન નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે ૧૫ જૂન બાદ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધે છે.

Related posts

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Samay

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

Ahmedabad Samay

વીજચોરીને રોકવા માટે ટોરેન્ટ પાવરનું અભિયાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો