June 23, 2026
ગુજરાત

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

કોરોના ને લઈ નવા નવા પરિકક્ષણ કરવામાં આવે છે જ્યારે  નિષ્ણાંતોના મતે વિશ્વના વિકસીત રાષ્ટ્રોની લેબોરેટરીમાં થયેલાં ટેસ્ટીંગમાં એવું સાબીત થયું છે કે, અતિ સુક્ષ્મ કોરોના વાઈરસનું બાહ્ય આવરણ મેડિકલ ભાષામાં  લાઈપિડ એટલે સાદી ભાષામાં ચરબીનું બનેલુ હોય છે એટલા માટે વારંવાર સાબુથી વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોરોના વાઈરસે જયારે ભારતમાં  દસ્તક આપી  હતી ત્યારે એવો વૈજ્ઞાનિક અનુમાન હતો કે વિશ્વમાં મહામારી ફેલાવનારો આ વાઈરસ ૩૫ ડિગ્રી ઉષ્ણતામાનમાં ટકી શકે નહીં, આજે ગુજરાતમાં  સરેરાશ ૪૨ ડિગ્રી ગરમી વરસી રહી છે છતાં કોરોના વાઈરસ સક્રીય છે અને વધુ આક્રમક બની રહયો છે.

લેબોરેટરી ટેસ્ટમાં તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ મુજબ કોરોના વાઈરસ લગાતાર ૫૬ ડિગ્રી સુધી જીવંત રહી શકે છે પરંતુ નવી આશા એવી જન્મી છે કે, ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ  ૭૦ ટકાની આસપાસ વધે એટલે કોરોના વાઈરસનો ખાત્મો બોલાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારી છે. હવામાન નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે ૧૫ જૂન બાદ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધે છે.

Related posts

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો