ગત રોજ શ્રી બાલાજી અગોરા મોલ, અમદાવાદ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં મન્નરા ચોપરા સેલિબ્રિટી સ્ટાર,પૂજા શર્મા રેખાજી સેલિબ્રિટી સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા,
પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીએ શિબિરો દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા તથા તેમના શિષ્યોને પણ માર્ગદર્શન આપ્યું છે, તેમને ગૌરવ પુરસ્કાર અને સન્માનિત મેડલથી અલંકૃત થયા છે. આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ વર્ષો સુધીની તપશ્ચર્યાનું ફળ છે. તેમને આ અગાઉ પણ રૂપાણી સાહેબના હસ્તે પ્રાપ્ત ગોલ્ડ મેડલ તથા લાડનું યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત ગોલ્ડ મેડલ, તથા 2018માં જ્યોતિષ ઋષિની પદવી, 2025માં જ્યોતિષાચાર્ય પદવી અને ગોલ્ડ મેડલ તથા ગત રોજ એવોર્ડ અને “દૈવજ્ઞ દીવાકર” પદવી આપવામાં આવી હતી
