June 24, 2026
ગુજરાત

અમદાવાદ – ગાંધીનગર પોઇન્ટ બસ સેવા શરૂ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરી ઓ  ૦૧ જૂનથી શરૂ કરવાની જાહેરાત કરેલ છે ,

આ અંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ ૦૧જૂન થી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન  સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરુ કરવામાં આવશે.

ગૃહ વિભાગ ના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ  બસની કુલપેસેન્જર કેપેસિટી ના ૫૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ  કોઈ પેસેન્જર  આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે ,આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ.  તમામ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન  અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે,બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું  ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે, આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી ૧૫ મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે.

Related posts

દિવાળીની ખરીદી પડી ભારે, કોરોના કેસમાં ચિંતા જનક વઘારો

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો