કોરોના ધીમો પડયા બાદ ધીમે ધીમે સ્કૂલો શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોનાની બીકને કારણે બાળકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે, તેવામાં સ્કૂલમાં આવતા બાળકોને સારું ભણતર કરે તે માટે પ્રોત્સાન આપવાની જરૂર છે.

બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,નાના ચિલોડા અમદાવાદ ખાતે,ધોરણ:૯ થી ૧૨ મા રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં પ્રથમ નંબર ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની ઠાકોર પાયલ અને દ્વિતીય નંબર વાઘેલા નિયતીને મેળવેલ છે,જેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતું.
